________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
આત્માવલોકન સર્વનું તાત્પર્ય આ છે કે ત્યારે તું જ રાજા થઈ જઈશ. તે રાજાની સેવાથી થોડા કાલમાં એવી રીતે રાજાની તારી પ્રભુતા થશે. ત્યારે તે નરે આ કથા સાંભળીને વળી તેવી જ રીતે કરી અને (તે નર) તેવો જ રાજા પણ થયો. આ દષ્ટાંત થયું. હવે આ પ્રમાણે દષ્ટાંત :
આ જીવના જે પરિણામ તે પરિણામ અન્ય પરભવોનું અવલંબન કરે છે–તેમની સેવા કરે છે. ત્યાં તે પરભાવને સેવતાં પરિણામ તે પરભાવોનો નિજસ્વભાવરૂપે દેખે છે, જાણે છે, સેવે છે અને તે પરને નિજ સ્વ કરીને (પરને નિજ પોતારૂપ કરીને, નિજ સ્વ તરીકે ) બરાબર માની રાખે છે. એવી એવી રીતે અનાદિથી કરતાં આ જીવના પરિણામોની અવસ્થા ઘણા કાળ સુધી વીતી. વળી કાળ પામી ભવ્યતા પરિપાક થઈ ત્યારે પોતાનું અથવા અન્ય જ્ઞાતગુરુના ઉપદેશનું કારણ પામ્યો. તે ગુરુએ ઉપદેશ્ય કે :
હે ભવ્ય પરિણામો! તમે હીન એવા પરની સેવા કરો છો અને હું પરિણામો ! પરની સેવા કરતાં તમે એ જ નીચ એવા પર ઉચ્ચ એવા “સ્વ કરીને' (સ્વ-રૂપે સ્વ તરીકે ) દેખો છો, જાણો છો, અને સ્વ કરીને યાદ બરાબર રાખો છો; તો હે ભવ્ય પરિણામો ! આ નીચ એવું પર છે, ઉચ્ચ એવું સ્વ નથી. વળી આ તમારી વસ્તુના આધારે નથી. વળી આ નીચને સેવતાં તમે પણ નીચ એવા પરજ જેવા બની રહ્યા છો, વળી આ નીચ એવા પરની સેવા કરતાં દુઃખ, ઉપાધિ, દારિદ્રય, સદા ભોગવી રહ્યા છો. એ તમને રંચમાત્ર પણ કાંઈ આપી શકતા નથી અને “આ અમને આપે છે.” એ રીતે તમે જઠું જ માની રહ્યા છો જો કે આ તો નીચ એવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com