________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દૃષ્ટાંત
૧૪૧
ચંચલ થવા ન દેવો) વળી ત્યાંથી કેટલાક કાળ પછી છૂટી જઈશ ત્યારે પણ ફરી તેવું થવું. વળી કેટલાક કાળ પછી ત્યાંથી છૂટી જઈશ ત્યારે પણ ફરી પાછો તે જ પુરાણા ( પહેલાના ) લોકોની વચ્ચે આવીશ. ત્યાં ફરીથી તું સેવા-એ જ લોકોની સેવા-કરીશ, તે સેવાથી સુખીદુ:ખી પણ થઈશ. જો કે ત્યાં તું તે લોકોની સેવા કરીશ, પણ તે લોકોને હવે રાજા તરીકે ન દેખીશ, ન જાણીશ, હવે તેમને તે રાજાની રૈયત જ જાણીશ, અને દેખીશ. કારણ કે જો કે તે કાલે રાજાને પ્રત્યક્ષ દેખતો જાણતો નથી, પણ તેં રાજાના લક્ષણોથી જ તેની સૂચિત ઠીક ઠીક યાદ કરી લીધી છે, રાજાની સૂરત યાદ જ રહે છે; તેથી હવે તે લોકોને તું રાજા દેખતો નથી, લોકોને લોક જ તરીકે દેખે છે, રાજાનો ભ્રમ ઊપજતો નથી.
વળી (તેં ) રાજાની સેવાના સુખનું જે સુખ લીધું, તે સુખ હવે આ લોકોની સેવાના સુખમાં દેખતો નથી. વળી તેમની સેવા કરવી બહુ ખરાબ લાગે છે તેથી (તેમની સેવાને તું) ખરાબ દેખ્યાજાણ્યા કરીશ. મનમાં આમ ચિંતવીશ કે આમના (આ લોકોના ) સેવા સંબંધથી મારી આપદાઓ ક્યારેય ટળી નથી. વળી ત્યારથી તો તું તે લોકોને રાજા તરીકે દેખતાં જાણતાં અટકી ગયો. પરંતુ તેમની કોઈ સેવા કરવી રહી ગઈ છે, એવી રીતે તું તે લોકોને માટે વિચારતો થઈશ. તેમ છતાં મનમાં (અસલ ) રાજાની જ સેવાની રુચિ રહેશે. વળી પાછો તેમની સેવા છોડીને હવે શીઘ્ર તે (અસલ ) રાજાની સેવા કરવા લાગી જઈશ. વળી પાછી રાજાની સેવા છૂટી જશે અને પછી આ લોકોની સેવા કરવા લાગી જઈશ. વળી પાછી આ સેવા છોડીશ, ( અસલ ) રાજાની સેવા કરીશ, એ જ રીતે થતાં થતાં કેટલાક કાળ પછી તે રાજાની સેવામાં રહી જઈશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com