________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
આત્મઅવલોકન સ્વાગરૂપે બનાવી લે છે. જે સર્વ ભાવસાર છે તે ભાવસંસાર કેવલ જીવનો જાણો. વળી પરિણામમય સંસારમાં એક પુદ્ગલ વ્યાપ્યવ્યાપક છે અને ભાવસંસારમાં એક જીવ વ્યાપ્યવ્યાપક છે.
વળી એક વાત જાણો-પુદ્ગલ પરિણામરૂપથી સંસારનો કર્યાદિ થાય છે અને જીવ પરિણામમયરૂપથી સંસારનો કર્તા થતો નથી. આ જીવને વ્યાપ્યવ્યાપકપણાથી ભાવસંસારના કર્તાદિથી કહેવામાં આવે છે. અહીં તો વ્યાયવ્યાપકરૂપે તો એક જીવને જ જાણવો. પુદ્ગલદ્રવ્ય પોતાના પરિણામરૂપ જ સંસારનો કર્તા થાય છે, પરિણામપિંડથી સંસારનો કર્તા છે. આ જીવદ્રવ્ય પોતાના પરિણામોના જ ભાવરૂપ સંસારનો કર્તા થાય છે. વળી જીવ પરિણામ તરફથી સદા, ત્રિકાલશુદ્ધ, એક ચેતનમય પરિણામ ઉપજાવવાના કર્તા રહે છે. વળી જીવદ્રવ્યના નિપજાવેલા જે એક ચેતનમય પરિણામ છે તે પરિણામેજ પોતામાં સંસારભાવ-અશુદ્ધભાવ રચ્યો છે તેથી જીવના પરિણામ સંસારભાવના-અશુદ્ધભાવના કર્તા થાય છે પરંતુ જીવદ્રવ્ય ક્યારેય કર્તા થતું નથી એ નિસંદેહ છે. પરંતુ એક વાત છે કે જીવના જે પરિણામ તે સંસારના કર્તા થયા છે તે પરિણામ આ જીવદ્રવ્યના તેથી વ્યવહારનયથી જીવદ્રવ્યને પણ કર્તા કહેવામાં આવે છે.
વળી તે અશુદ્ધ સંસારભાવમાં જીવના પરિણામ જ વ્યાપ્યવ્યાપક થયા છે તેથી તે પરિણામને જ નિશ્ચયથી અશુદ્ધભાવનો કર્તા કહેવામાં આવે છે. વળી નિશ્ચયથી શીધ્ર દ્રવ્યને સંસારનો કર્તા કહેવામાં આવે તો પણ કોઈ દૂષણ નથી પણ જ્ઞાનદષ્ટિમાં જીવદ્રવ્યને સંસારનો અકર્તા સદા સમજીએ છીએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com