________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૧
-
' જ સાં સUL કર્તુત્વઅધિકા૨ વાર્ણ ના ટક
કોઈ આ રીતે પ્રશ્નકરે કે ગુણસ્થાન, માર્ગણા, કર્મ, જોગ આદિ સંસાર તે સંસાર પરિણામમય (વસ્તુમય) કોનો છે તે કહો તે કથન દર્શાવવામાં આવે છે :
દેખો! આકાશમાં એક ચંદ્ર છે, એક તેનું નિમિત્ત પામીને પાણીની સ્વચ્છતા વિકારરૂપ ચંદ્ર છે. વળી એક લાલ રંગ છે, વળી (આ તરફ ) એક તેનું નિમિત્ત પામીને સ્ફટિકની સ્વચ્છતા વિકારરૂપ લાલ છે. વળી એક મોરસ્કંધ છે, વળી (આ તરફ ) એક તેનું નિમિત્ત પામીને આરસીની સ્વચ્છતા વિકારરૂપ મોર છે. તેવી જ રીતે ગુણસ્થાન, માર્ગાણાદિ એક પુદ્ગલસ્કંધરૂપ સંસાર છે, વળી એક તેનું નિમિત્ત પામીને જીવની સ્વચ્છતા, વિકારરૂપ ચેતના સંસાર છે. તો તમે અહીં ન્યાય કરીને વિચારો તો ચંદ્ર, લાલરંગ, મોર, સંસાર કઈ પરિણામમય વસ્તુપે નીપજ્યાં છે? ક્યા પરિણામમાં જ ભાવરૂપે નીપજે છે? દેખો! જો અસલ ચંદ્રાદિ વિકારી કહેવામાં આવે છે તો તેમને અન્ય ચંદ્રાદિનું નિમિત્ત તો દેખાતું નથી. વળી જો અસલ ચંદ્રાદિ વિકારભાવરૂપે થાય તો તેમનું તે વિકારી સ્વચ્છસ્થાન પણ કોઈ દેખાતું નથી. વળી જો અસલ ચંદ્રાદિનો વિકાર હોય (વળી જો અસલ ચંદ્રાદિ વિકારી થયો હોય) તો અન્ય ( ભિન્ન) જલાદિના વિકારનું ચંદ્રાદિના વિકારરૂપે થવું મૂલથી નાસ્તિ હોય (ન હોય). પણ એ જલાદિ વિકારરૂપે થતાં તો પ્રત્યક્ષ જોવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com