________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
આત્માવલોકન (અરતિ-) તે પદ્ગલિક અખાડામાં જે પદ્ગલિક જોગવર્ગણા સ્કંધ તે અન્ય સ્કંધની સાથે સંબંધરૂપ ન પ્રવર્તે અથવા ઉલટો તે સ્કંધકારણોથી ઘાલ્યો-છેદ્યો જાય તે પૌદ્ગલિક મોહનો અરતિરૂપ સ્વાંગ ઊપજે છે. ત્યારે જ જીવનિર્જીવરૂપ સ્કંધરૂપ જે જોયો તેને ઉપયોગ વડે દેખતાં જાણતાં જ તે અસ્પષ્ટ જ્ઞયોમાં અરુચિરૂપે, અપ્રતીતરૂપે, દ્વેષાદિરૂપે આ જીવનું રંજીત થવું તે અમૂર્તિક ચેતનાચારિત્રમોહનો અરતિસ્વાંગ થાય છે.
(શોક-) અન્ય સ્કંધના નાશથી પદ્ગલિક જોગવર્ગણાનો મૂરઝાવારૂપ-કરમાવારૂપ-લંઘાવારૂપે અને કાયના અશ્રુ આદિ પાતરૂપે, ભવાં ચડવાં, આદિરૂપે તે પદ્ગલિક મોહનો શોકરૂપ સ્વાંગ ઊપજે છે. જે જીવનિર્જીવ સ્કંધ (ચેતન-અચેતનસ્કંધ) તેના નાશભાવરૂપ જ્ઞયોને ઉપયોગ વડે દેખતાં જાણતાં અસ્પૃષ્ટ સ્કંધના વિયોગભાવરૂપ જે જ્ઞયો તેમાં કલેશરૂપે, દ્વેષરૂપે, દુઃખરૂપે, સંકલ્પ-વિકલ્પરૂપે, સંતાપાદિરૂપે જે આ જીવનું રંજિત થવું તે અમૂર્તિક ચેતનચારિત્રમોહનો શોકસ્વાંગ થાય છે.
(ભય:-) હવે તે પૌદ્રલિક અખાડામાં અન્ય જીવનિર્જીવ સ્કંધના સંબંધનું નિમિત્ત પામીને આ તરફ પૌદ્ગલિક મનવચનકાયરૂપ વર્ગણાસ્કંધનું સંકોચનરૂપ થવું, તેના વાનના ( રંગના) પલટવારૂપ કે કંપવારૂપ થવું અથવા અન્ય ક્ષેત્રમાં તેનું ચાલ્યું જવું તે ભાવને પૌદ્ગલિક મોહનો ભય કહેવામાં આવે છે. વળી શયોને ઉપયોગ વડે દેખતાં જાણતાં તે અસ્પષ્ટ શેયોથી ડરરૂપે, શંકારૂપે, અનિષ્ટ પુદ્ગલાદિરૂપે રંજિત થવું તે આ જીવનો ચારિત્રમોહનો અમૂર્તિક ચેતનભયસ્વાંગ ઊપજે છે.
(દુગંછા:-) વળી તે પૌદ્ગલિક મનવચનકાયવર્ગણા-સ્કંધ, અસ્કંધ સંબંધનું નિમિત્ત પામીને પણ તેની સાથે મળે નહીં, અને નાસિકાદિ સંકોચરૂપ થાય તે પૌદ્ગલિકમોહનો દુશંકાસ્વાંગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com