________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમુર્તિકચેતનભાવ અધિકાર
૧૦૩ જેવી જેવી રીતે કાલના નિમિત્તથી આ પુદ્ગલો સ્વયં આવે છે, સ્વયં જાય છે, સ્વયં મળે છે, સ્વયં વિખરાય છે, આપોઆપ પુદ્ગલ જોડાઈને વધે છે, આપોઆપ પુદ્ગલ છૂટા પડીને ઘટી જાય છે. દેખો-આ પુદ્ગલનો પણ પોતાના પુદ્ગલની જાતિ સાથે તો સંબંધ છે. “પરંતુ આ જીવને એ પુદગલો પણ ત્રણ કાલમાં ક્યારેય સ્પર્યા નથી, પુદગલો આપોઆપ જ ખેલે છે”
હે સંત જ્યારે આ જીવ અજ્ઞાનાદિ વિકારરૂપે પ્રવર્તે છે ત્યારે આ પુદ્ગલના જ ખેલને દેખીને આ તરફ જીવપરિણામમાં શું આવ્યું? (શું બને છે.) “એ સર્વ કામ મારા કર્યા થયા; એ જ ચિત્વિકારનું મહાભ્ય જાણો. હે સંત! તમે તેને ક્યારેય સ્પર્ધો નથી અને આ ક્યારેય એને (જીવન) સ્પર્શતા નથી. તેને દેખતાં, જાણતાં “હું કરું છું' તેનાથી સુખ પામું છું” તેનાથી હું ખેદ પામું છું, આવો પ્રત્યક્ષ જાઠ-જીવને થયું-ભ્રમ જીવને થયો, તમે જાણો.
વળી હે ભવ્ય ! જ્ઞાની આવી રીતે દેખે છે, જાણે છે, કે આવી રીતે અહીં નિશ્ચયથી છે; તે શું?
જેટલાય પૌદ્ગલિક વર્ણ, રસ, ગંધાદિકનો નીપજેલો આ સર્વ ખેલ-અખાડો તેની સાથે તો ( જ્ઞાની) પોતાને કાંઈ પણ સંબંધ હોવો દેખાતો નથી. કારણ કે પૌદ્ગલિક નાટક અન્ય દ્રવ્યનું બનેલું જોવામાં આવે છે. વળી આ નાટક તો મૂર્તિકનું બન્યું છે, વળી અચેતનનું નીપજેલું નાટક છે, વળી આ નાટક તો અનેક દ્રવ્યો મળીને પ્રવર્તે છે, તેથી આની સાથે તો મારે કેમેય કરી (કોઈ પણ રીતે) ત્રણ કાલમાં સંબંધ દેખાતો નથી.
કારણ કે હું તો જીવદ્રવ્ય, હું તો અમૂર્તિક, હું તો ચેતનવતુ, હું તો એક સત્ત્વ, હું તો આવો, તે તેવું, મારામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com