________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
| 3 યુથ [થpIIધ્યમાનુ વાચ્છો ?
(હવે સાધક સાધ્યભાવ કહેવામાં આવે છે. )
જે સાથે તેને તે સાધકભાવ જાણવો. જે ભાવ પ્રવર્યા વિના અન્ય-પછીનો- (ઉત્તર) ભાવ ન પ્રવર્તે, જ્યારે તે જ (પૂર્વ) ભાવના પ્રવર્તવાનો કાલ આવ્યું તે (પૂર્વ) ભાવ પ્રવર્યો હોય ત્યારે તો તે, ઉત્તરભાવનું પ્રવર્તવું અવશ્ય સાધે છે, અન્યભાવ પ્રવર્તતાં તે (ઉત્તર) ભાવ સધાતો નથી.
વળી કોઈ અજ્ઞાની એમ જાણી લેશે કે તે ઉત્તરભાવને આ (પૂર્વ) ભાવ પોતાના બલથી પ્રવર્તાવે છે-આ (પૂર્વ) ભાવ જોરાવરીથી પરિણમાવે છે, એ રીતે સાધકભાવ માને તો એ તો અનર્થ, સાધકભાવ એટલો જ જાણવો કે તે ભાવ (સાધ્યભાવ) પોતાના બલથી પ્રવર્તે છે; પરંતુ આમ છે કે તે ભાવ ( સાધકભાવ) પ્રવર્તતાં તે કાલે આ ભાવનું પણ ( સાધ્યભાવનું પણ ) પ્રવર્તવું થાય છે. એવું જે તે ભાવનું (સાધકભાવનું) થવું તે, આ (સાધ્યભાવ) થવામાં સાક્ષીભૂત તો અવશ્ય થાય છે, તો આટલી તે ભાવને સાધકભાવની સંજ્ઞા કહેવામાં આવે છે, એમ આ અવસર વિષે જાણવું.
જેમકે જ્યારે દિવસે બપોર થાય છે ત્યારે જ બપોરિયા ફૂલ ખીલવાના કાર્યરૂપે પ્રવર્તે છે. અહીં બપોરિયા ફૂલના ખીલવામાં દિવસે બપોર થવો સાક્ષીભૂત અવશ્ય પ્રત્યક્ષ દેખાય છે, એવો ભાવ સાધકભાવ જાણવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com