________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૯
સમ્યક નિર્ણય આ જીવવસ્તુનો મૂલ નિજવસ્તુસ્વભાવ હું છું. વસ્તુના સ્વધર્મથી વસ્તુને સાધવામાં આવી, જીવવસ્તુનો મૂલ સ્વભાવભાવ આ છે. સ્વભાવની આટલી વાનગીઓ પ્રગટવા પહેલા આ થયું.
વળી અન્ય કોઈ એક પ્રશ્ન કર્યો કે જેવી રીતે સમ્યકત્વગુણને સમ્યગૂ” થયો કહ્યો તેવી રીતે જ્ઞાનાદિગુણને સમ્યગૂ થયો ન કહ્યો, તે જ્ઞાનાદિગુણની તો કેટલીએક શક્તિ સમ્યક થઈ કહી તો શો ભેદ (તફાવત) છે?
ઉત્તર :- આ સમ્યકત્વગુણ તો બધોય “સમ્યગ” થયો, અને જ્ઞાનાદિકની કેટલીએક કેટલીએક શક્તિઓ સમ્યરૂપ થઈ અને જ્ઞાનાદિગુણની (કેટલીએક શક્તિઓ) અબુદ્ધિરૂપ મેલી થઈ રહી છે અને ક્ષીણમોહકાલના અંતમાં જ્ઞાનાદિ ગુણની સર્વ અનંતશક્તિઓ સમ્યરૂપ થશે ત્યારે જ્ઞાનાદિગુણ સંપૂર્ણ સમ્યગૂ થયો કહેવાશે.
વળી બીજો પ્રશ્ન- જો જ્ઞાનાદિગુણ ક્ષીણમોહકાલના અંતમાં સંપૂર્ણ સમ્યમ્' થશે તો ત્યાં દ્રવ્યને જ “સમ્ય” થયું કેમ ન કહ્યું?
ઉત્તર :- હે ભાઈ, તે કાલે શક્તિથી ગુણો તો બધાય સર્વગુણો સમ્યક થયા, પરંતુ દ્રવ્યના પ્રદેશોનો જે કંપવિકાર રહ્યો તેનાથી પણ દ્રવ્ય કાંઈક મેલું છે. વળી તે પણ વિકાર અયોગીકાલના અંતમાં દૂર થશે ત્યારે દ્રવ્ય સર્વથા સમ્યરૂપ થશે. રૈલોક્ય ઉપર કેવલ એક જીવ સ્વયં બિરાજમાન થશે.
|| ઇતિ સમ્મગ્નિર્ણય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com