________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮
આત્માવલોકન વળી કોઈ અજ્ઞાની બન્નેને (સમ્યભાવ અને સ્થાનને) જુદા જાદા માને તો તે અજ્ઞાનીએ બન્ને ભાવનો નાશ કર્યો. કાંઈ વસ્તુ જ ન રાખી. જેમકે ઉષ્ણતાભાવ જુદો અન્ય ઠેકાણે કહેવામાં આવે અને અગ્નિભાવ જાદો અન્ય ઠેકાણે કહેવામાં આવે તો ત્યાં વસ્તુ દેખવામાં ન આવી. શૂન્ય દેખવામાં આવ્યું. વળી એક જ સ્થાને ભેદભાવ ઉષ્ણતા જાણવામાં આવી અને અભેદભાવે અગ્નિ જાણવામાં આવી, તો એમ જ વસ્તુ છે. એ રીતે ભેદભાવ, અભેદસમ્યભાવ એક જ સ્થાને છે, નિસ્સેદેહ એમ જ વસ્તુ છે. એમ જ્ઞાનમાં પ્રતિબિંબે છે. એ રીતે ભેદસમ્યમ્ભાવ, અભેદસમ્યભાવ (બન્ને) એક સ્થાને રહ્યા પરિણમે છે.
જ્યારે જે કાલે જે જીવવસ્તુને આ સમ્યભાવ પ્રગટયો ત્યારે તે કાલે તે જીવસન્તના ભેદભાવ, અભેદસમ્યમ્ભાવ, એક સ્થાને જ પરિણમે છે, સમ્યરૂપે પરિણમે છે. તે જ જીવ સમ્યભાવરૂપે ભલી રીતે શોભે છે.
પ્રથમમાં પ્રથમ જ્યારે એ રીતે કેટલાએક સમ્યભાવને ધારણ કરીને જીવવસ્તુ પ્રગટ પરિણમી ત્યારે નિસ્સેદેહ તેટલા ભાવે સ્વસ્વયં-કેવલનિર્વિકલ્પ-નિજસ્વરૂપસિદ્ધ સાક્ષાત્ આત્મા પ્રગટયો. એટલા જ ભાવથી આત્મા નિજસ્વભાવમાં એટલો સ્થગિત (સ્થિર) થયો.
વળી આત્મા જ્યારે પહેલો વહેલો જેટલા સ્વભાવરૂપ પ્રગટયો, સ્વરૂપભાવની જેટલીએક વાનગી પહેલવહેલી પ્રગટી ત્યારે સ્વરૂપની તેટલી વાનગી પ્રગટવાથી અનાદિથી જે જીવવસ્તુ સ્વભાવરૂપથી અસિદ્ધ થઈ રહી હતી-નિજ સ્વધર્મથી શ્રુત થઈ રહી હતી તે જીવવસ્તુની નિજસ્વભાવજાતિ હવે સિદ્ધ થઈ, જીવવસ્તુના સ્વધર્મ પોતાને દર્શાવ્યો (પોતાનું શુદ્ધ સ્વરૂપ દર્શાવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com