________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કુનયાધિકાર જ સ્વ (પોતારૂપ) સ્થાપવાનો છે, મને આવું જ જ્ઞાન પ્રગટયું છે, તો આ પુરુષ (માત્ર) વાતોથી તો આવો ભાવ કહે, પરંતુ તે પુરુષને સ્વને (પોતાને) સ્થાપવાનું જ્ઞાન ઊપસ્યું નથી. સ્વને સ્થાપવાનું જ્ઞાન જ્યારે ઊપજે ત્યારે પરને પર સ્થાપવાનો ભાવ ઊપજે. જ્ઞાનનો, દર્શનનો સ્વપરપ્રકાશક એવો નિજભાવ (નિજ સ્વભાવ) જ છે. વળી આ સ્વભાવને ન માને ત્યાં જ્ઞાનદર્શનગુણનો નાશ થયો. જ્યાં ગુણનો નાશ થયો ત્યાં દ્રવ્યનો નાશ થયો. જ્યાં દ્રવ્ય નાશ પામ્યું ત્યાં વસ્તુ નાશ પામી એક સ્વસંવેદનને માનતાં સર્વ એકાંત સ્થાપવાથી આ પ્રમાણે નાશની પરંપરા સિદ્ધ થાય છે, બીજું કાંઈ સાધ્ય સિદ્ધ થતું નથી.
વળી કોઈ અજ્ઞાની એમ માને કે જ્યાં સુધી જેટલું કાંઈ જ્ઞાન જાણે છે ત્યાં સુધી જ્ઞાન મેલું છે. જ્યારે જ્ઞાનનો જાણવારૂપ સ્વભાવ મટી જાય છે ત્યારે જ જીવ સિદ્ધરૂપ થાય છે. તે અજ્ઞાનીએ જ્ઞાનનો સ્વભાવ મૂળથી જ જાણ્યો નથી. તે એમ નથી જાણતો કે “જ્ઞાન” એવું તો તેને કહેવામાં આવે છે કે જે “જાણે', અને જે તે “જાણવું' જ દૂર કર્યું તો તેને “જ્ઞાન” કેવી રીતે કહેવામાં આવે? તે જ્ઞાન ગુણનો નાશ જ થયો. ત્યાં (જ્ઞાનગુણનો નાશ થતાં) વસ્તુનો નાશ સહજ જ થયો, એવા ઘણા અનર્થો જાણવા.
|| ઇતિ કુનયાધિકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com