________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૫
કુનાધિકા૨ ક.
જો કોઈ વિકલ્પી (મિથ્યાત્વી) એમ માને કે –સ્વભાવભાવ પરિણતિરૂપ થાય ત્યારે જ તો સ્વભાવ માનો, અન્યથા ન માનો; તો તે અજ્ઞાનીએ વસ્તુનો નાશ કર્યો, વસ્તુને ન જાણી. વળી, જો કોઈ આમ માને કે સ્વભાવભાવની પ્રગટ પરિણતિથી જ શું છે, વસ્તુથી જ કાર્યસિદ્ધિ છે? તો એવા અજ્ઞાનીએ સ્વભાવભાવ પરિણતિનો નાશ કર્યો, શુદ્ધ થવાનો અભાવ કર્યો, વિકારપરિણતિને સદાય રાખવાનો ભાવ કર્યો, મુક્તિ થવાનો નાશ કયો.
વળી જો કોઈ આમ માને કે આ જે કાંઈ કરે છે, તે સર્વ પુદ્ગલકર્મ કરે છે, જીવ કાંઈ ન કરે, ન કરાવે, જેવો ને તેવો થઈને જુદો રહે છે તો તે અજ્ઞાની પોતાને શુદ્ધ-અશુદ્ધ એ બન્ને રૂપે દેખતો નથી. સવિકાર-અવિકાર એ બે સ્વભાવને જાણતો નથી, તે વિકારને છાંડશે નહિ. વળી કોઈ આમ માને કે -પુદ્ગલવિપાકના નિમિત્તમાત્રથી તો શું છે? પોતે પોતાનું નિમિત્ત થઈને પોતે વિકારરૂપે પરિણમે છે. તો તે અજ્ઞાનીએ વિકારને નિત્ય કર્યો, સ્વરૂપના જેવો કર્યો. (તો તે અજ્ઞાનીએ વિકારને પોતાનું નિત્ય નિજસ્વરૂપ માન્યું.)
સવિકલ અમૂર્ત દ્રવ્યની છાયા તો છે નહિ, છતાં કોઈ અજ્ઞાની જીવની છાયા સ્થાપીને તે છાયાને કર્મવિટંબણા લગાડે, જીવને જાદો રાખે, તો તે અજ્ઞાનીને (તો તે અજ્ઞાનીને મન) આ છાયા પણ એક વસ્તુ છે, જીવનું તે છાયાથી કોઈ બીજાં જ ક્ષેત્ર ઠર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com