________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
*
સંવરાધિકાર *
હે સંત! કાલલબ્ધિ પામીને જેટલા કાંઈ કર્મ નાશ થયા તેટલા જીવવિકાર પણ નાશ થયા. તેથી વિકારનો નાશ થતાં સમ્યકત્વગુણ, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક જેટલા તે સ્વરૂપરૂપ થઈ પ્રગટ્યાં, તેટલા તે વિકારરૂપે નથી પ્રવર્તતાં, તેને સંવરભાવ કહેવામાં આવે છે.
ભાવાર્થ - તે શક્તિ વિકારરૂપ ન થઈ તે સંવરભાવ. જીવનો એવો સંવરભાવ થતાં, તે જીવની કર્મવર્ગણાનું આવવું પણ સહજ જ રોકાય છે. એ એ રીતે કરીને જીવસંવર, પુદ્ગલકર્મસંવર બન્ને થતાં થતાં જીવ સર્વ આપોઆપ સંપૂર્ણ સ્વભાવરૂપ પ્રગટ થઈ જાય છે અને તે જીવ પ્રતિ સર્વ કર્મવર્ગણા આવતી રોકાઈ જાય છે. એવી રીતે જે સંવરરૂપમાં પ્રગટયો, તે એક ચેતનાનો જ સ્વભાવ જાણવો. “તે ચેતના જીવ (વસ્તુ) છે, સંવર તે કોઈ ભાવ ( દશા, અવસ્થા) છે.”
|| ઇતિ સંવરાધિકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com