________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
उ४८
(અષ્ટપાહુડ
वट्टेसु य खंडेसु य भद्देसु य विसाले सु अंगेसु। अंगेसु य पप्पेसु य सव्वेसु य उत्तमं शीलं ।। २५ ।।
वृत्तेषु च खंडेषु च भद्रेषु च विशालेषु अंगेषु। अंगेषु च प्राप्तेषु च सर्वेषु च उत्तमं शीलं ।। २५।।
છે ભદ્ર, ગોળ, વિશાળ ને ખંડાત્મ અંગ શરીરમાં, તે સર્વ હોય સુખાસ તો પણ શીલ ઉત્તમ સર્વમાં. ૨૫
અર્થ:- પ્રાણીના દેહમાં કોઈ અંગ તો વૃત્ત અર્થાત્ ગોળ, સુઘટ્ટ, પ્રશંસાયોગ્ય હોય છે; કોઈ અંગ ખંડ અર્થાત્ અર્ધ ગોળ સદેશ પ્રશંસાયોગ્ય હોય છે; કોઈ અંગ ભદ્ર અર્થાત્ સરળસીધું પ્રશંસાયોગ્ય હોય છે; કોઈ અંગ વિશાળ અર્થાત્ પહોળું પ્રશંસાયોગ્ય હોય છે આ પ્રકારે બધાં જ અંગો યથાસ્થાને સુંદરતા પામતા હોઈને પણ બધા અંગોમાં આ શીલ નામનું અંગ જ ઉત્તમ છે. આ ન હોય તો બધા જ અંગો શોભા પામતા નથી-આ પ્રસિદ્ધ છે.
ભાવાર્થ:- લોકમાં પ્રાણી સર્વાગ સુંદર હોય, પરંતુ કુશીલ હોય તો બધા લોકો દ્વારા નિંદાપાત્ર હોય છે. આ પ્રકારે લોકમાં પણ શીલની જ શોભા છે તો મોક્ષમાં પણ શીલને જ મુખ્ય કહ્યું છે. જેટલા સમ્યગ્દર્શનાદિક મોક્ષના અંગો છે તે શીલનો જ પરિવાર છે એવું પહેલાં જ કહી આવ્યાં છીએ. ૨૫
હવે કહે છે કે જે કુબુદ્ધિથી મૂઢ થઈ ગયા છે તેઓ વિષયોમાં આસક્ત છે, કુશીલ છે, સંસારમાં જ ભ્રમણ કરે છે -
पुरिसेण वि सहियाए कुसमयमूढेहि विसयलोलेहिं। संसारे भमिदव्यं अरयघरटें व भूदेहिं।। २६ ।।
पुरिषेणापि सहितेन कुसमयमूढैः विषयलौलैः। संसारे भ्रमितव्यं अरहटघरटें इव भूतैः।। २६ ।। દુર્મતવિમોહિત વિષયલુબ્ધ જનો ઈતરજન સાથમાં, 'અરઘટ્ટિકાના ચક્ર જેમ પરિભ્રમે સંસારમાં. ૨૬
અર્થ:- જે કુસમય એટલે કુમતિથી મૂઢ તેમજ અજ્ઞાની છે તેઓ જ વિષયોમાં લોલુપીઆસક્ત છે, તેઓ રેંટના ઘડાની જેમ સંસારમાં ભ્રમણ કરે છે, તેમની સાથે અન્ય પુરુષોને પણ દુઃખ સહિત સંસારમાં ભ્રમણ હોય છે.
૧ અરઘટ્ટિકા = રહુંટ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com