________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાડ)
૩૪૭
હવે કહે છે કે વિષયોને છોડવાથી કંઈપણ હાનિ નથી:
तसधम्मतबलेण य जह दव्वं ण हि णराण गच्छेदि। तवसीलमंत कुसली खवंति विसयं विस व खलं ।। २४ ।।
तुषधमबलेन च यथा द्रव्यं न हि नराणां गच्छति। તપ: શીનમંતઃ કુશના: fક્ષાંતે વિષય વિષમ વત્તા ૨૪TI
'તુષ દૂર કરતાં જે રીતે કંઈ દ્રવ્ય નરનું ન જાય છે, તપ શીલવંત સુકુશલ ખળમાફક, વિષયવિષને તજે. ૨૪
અર્થ - જેવી રીતે ધાન્યમાંથી ફોતરાને ઉપણીને દૂર કરવાથી, ઉડાડી દેવાથી મનુષ્યનું કંઈ દ્રવ્ય (અનાજ) જતું નથી તેવી જ રીતે તપસ્વી અને શીલવાન જે પુરુષો છે તે વિષયોને ખલની જેમ ક્ષેપે છે –દૂર ફેંકી દે છે.
ભાવાર્થ:- જે જ્ઞાની તપ, શીલ સહિત છે તેમને ઇન્દ્રિયોના વિષયો ખલની જેવા છે. જેમ શેરડીનો રસ કાઢી લીધા પછી કૂચા ચૂસાઈને નીરસ થઈ જાય છે ત્યારે તે ફેંકી દેવા યોગ્ય
તેવી જ રીતે વિષયોને જાણવું. રસ હતો તે તો જ્ઞાનીઓએ જાણી લીધો. પછી વિષયો તો કૂચા સમાન રહ્યા, તેને ત્યાગવાથી શું નુકસાન છે? અર્થાત્ કંઈ પણ નથી. એ જ્ઞાનીઓને ધન્ય છે જે વિષયોને શેયમાત્ર જાણીને આસક્ત થતા નથી.
જે આસક્ત થાય છે તે તો અજ્ઞાની જ છે. કેમકે વિષય તો જડ પદાર્થ છે. સુખ તો તેમને જાણવાથી જ્ઞાનમાં જ હતું. અજ્ઞાનીએ આસક્ત થઈને વિષયોમાં સુખ માન્યું. જેમ કૂતરો સૂકા હાડકાને ચાવે છે ત્યારે હાડકાની ધાર મુખના તાળવામાં ભોંકાય છે તેથી તાળવું ફાટી જાય છે ને તેમાંથી લોહી વહેવા લાગે છે ત્યારે અજ્ઞાની કૂતરો જાણે છે કે આ રસ હાડકામાંથી નીકળે છે. અને એ હાડકાને વારંવાર ચાવીને સુખ માને છે. તેવી જ રીતે અજ્ઞાની વિષયોમાં સુખ માનીને વારંવાર ભોગવે છે. પરંતુ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જ સુખ જાણું છે, તેમને વિષયોને ત્યાગવામાં દુઃખ થતું નથી. એમ જાણવું. ૨૪
હવે કહે છે કે કોઈ પ્રાણી શરીરના બધા અવયવો સુંદર પ્રાપ્ત કરે છે તો પણ સર્વ સંજોગોમાં શીલ જ ઉત્તમ છે:
૧ તુષ દૂર કરતાં = ધાન્યમાંથી ફોતરાં વગેરે કચરો કાઢી નાખતાં. ૨ દ્રવ્ય = વસ્તુ (અર્થાત ધાન્ય) ૩ સુકુશલ = કુશળ અર્થાત પ્રવીણ પુરુષ. ૪ ખળ = વસ્તુનો રસ કસ વિનાનો નકામો ભાગ-કચરો; સત્વ કાઢી લેતા. બાકી રહેતા કૂચા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com