________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાડ)
૩૪૧
અહીં આશય એમ છે કે સમ્યકત્વ સહિત અવિરત સમ્યગ્દષ્ટિ તો સારા છે, કેમકે તે સમ્યગ્દષ્ટિ કુમાર્ગની પ્રરૂપણા કરે નહીં. પોતાને (ચારિત્રદોષથી) ચારિત્રમોહનો ઉદય પ્રબળ હોય
સુધી વિષયો છુટતા નથી, તેથી અવિરત છે. પરંતુ જે સમ્યગ્દષ્ટિ ન હોય તેવાને પણ જ્ઞાન ઘણું હોય, કંઈક આચરણ પણ કરે, વિષયો પણ છોડે છતાં જો તે કુમાર્ગનું પ્રરૂપણ કરે તો તે સારો નથી. તેના જ્ઞાન અને વિષય ત્યાગ નિરર્થક છે એ પ્રમાણે જાણવું. ૧૩
હવે કહે છે કે જે ઉન્માર્ગને પ્રરૂપણ કરવાવાળા કુમત-કુશાસ્ત્રની પ્રશંસા કરે છે તે ઘણાં શાસ્ત્ર જાણે છે તો પણ શીલવતજ્ઞાનથી રહિત છે. તેને આરાધના નથી:
कुमयकुसुदपसंसा जाणंता बहुविहाई सत्थाई। शीलवदणाण रहिदा ण हु ते आराधया होति।।१४।।
कुमतकुश्रुतप्रशंसकाः जानंतो बहुविधानि शास्त्राणि। शीलव्रतज्ञानरहिता न स्फुटं ते आराधका भवंति।।१४।।
*દુર્મત-કુશાસ્ત્ર પ્રશંસકો જાણે વિવિધ શાસ્ત્રો ભલે, વ્રત-શીલ-જ્ઞાનવિહીન છે તેથી ન આરાધક ખરે. ૧૪
અર્થ:- જે ઘણાં પ્રકારનાં શાસ્ત્રોને જાણે છે તથા કુમત-કુશ્રુતની પ્રશંસા કરનાર છે. તેઓ શીલ-વ્રત અને જ્ઞાન રહિત છે. તેના આરાધક નથી.
ભાવાર્થ- કુમત અને કુશાસ્ત્રમાં રાગ હોવાથી પ્રીતિ છે તેથી તેની પ્રશંસા કરે છે, એ તો મિથ્યાત્વનું ચિહ્ન છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં જ્ઞાન પણ મિથ્યા છે અને વિષય-કષાયોથી રહિત હોય તેને શીલ કહે છે. તે પણ તેને નથી. વ્રત પણ તેને નથી. કદાચિત્ કોઈ વ્રતાચરણ કરે છે તો પણ મિથ્યા ચારિત્રરૂપ હોય છે તેથી દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાવાળો નથી, મિથ્યાદષ્ટિ છે. ૧૪
હવે કહે છે કે જો રૂપ-સુંદરાદિક સામગ્રી પ્રાપ્ત કરે અને શીલ રહિત હોય તો તેનો મનુષ્ય જન્મ નિરર્થક છેઃ
रुवसिरिगव्विदाणं जुव्वणलावण्णकतिकलिदाणं। सीलगुणवज्जिदाणं णिरत्थयं माणुसं जम्म।।१५।। रुपश्रीगर्वितानां यौवनलावण्यकांतिकलितानाम्। शील गुणवर्जितानां निरर्थकं मानुषं जन्म।।१५।।
૧. દુર્મત = કુમત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com