________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૩૯
અર્થ:- જે પુરુષ જ્ઞાનનો ગર્વ કરીને જ્ઞાનમદથી વિષયોમાં રાચે છે તે આ જ્ઞાનનો દોષ નથી, પણ મંદબુદ્ધિ કુપુરુષ છે તેનો દોષ છે.
ભાવાર્થ - કોઈ જાણે કે જ્ઞાનથી ઘણા પદાર્થોને જાણે ત્યારે વિષયોમાં રંજાયમાન થાય છે તે આ જ્ઞાનનો દોષ છે. અહીં આચાર્ય કહે છે કે એવું ન માનો જ્ઞાન પ્રાપ્ત કરીને વિષયોમાં આસક્ત થાય છે તે આ જ્ઞાનનો દોષ નથી આ પુરુષ મંદબુદ્ધિ છે અને કુપુરુષ છે તેનો દોષ છે, પુરુષનું હોનહાર ખરાબ હોય ત્યારે બુદ્ધિ બગડી જાય છે. ફરી જ્ઞાનને પ્રાપ્ત કરી તેના મદમાં મસ્ત બની વિષયકષાયોમાં આસક્ત બની જાય છે, તો આ દોષ-અપરાધ કુપુરુષનો છે, જ્ઞાનનો નથી જ્ઞાનનું કાર્ય તો વસ્તુને જેવી છે તેવી જણાવી દેવી તે છે. પછી પ્રવર્તવું તે પુરુષનું કાર્ય છે. આ પ્રકારે જાણવું જોઈએ. ૧૦ હવે કહે છે કે પુરુષને આ પ્રકારે નિર્વાણ થાય છે:
णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिएण। होहदि परिणिव्वाणं जीवानां चरित सुद्धाणं ।। ११ ।। ज्ञानेन दर्शनेन च तपसा चारित्रेण सम्यक्त्वसहितेन। भविष्यति परिनिर्वाणं जीवानां चारित्रशुद्धानाम्।।११।। સમ્યકત્વસંયુત જ્ઞાન દર્શન, તપ અને ચારિત્રથી, ચારિત્રશુદ્ધ જીવો કરે ઉપલબ્ધિ પરિનિર્વાણની. ૧૧
અર્થ:- સમ્યકત્વ સહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણ કરે ત્યારે ચારિત્રથી શુદ્ધ જીવોને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ- સમ્યકત્વ સહિત જ્ઞાન, દર્શન, તપનું આચરણ કરે ત્યારે ચારિત્ર શુદ્ધ થઈને રાગ-દ્વેષાદિ વિભાવ મટી જાય ત્યારે નિર્વાણ પ્રાપ્ત થાય છે, આ માર્ગ છે. ૧૧
(તપ = શુદ્ધોપયોગ રૂપ મુનિપણું. આ હોય તો ૧૨ પ્રકારે વ્યવહારના ભેદ છે.) હવે આને જ શીલની મુખ્યતા દ્વારા નિયમથી નિર્વાણ કહે છે:
सीलं रक्खंताणं दसणसुद्धाण दिढचरित्ताणं। अत्थि धुवं णिव्वाणं विसएसु विरत्त चित्ताणं ।।१२।। शीलं रक्षतां दर्शनशुद्धानां दृढचारित्राणाम्। अस्ति ध्रुवं निर्वाणं विषयेषु विरक्तचित्तानाम्।।१२।।
૧. પરિનિર્વાણ = મોક્ષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com