SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪ (અષ્ટપાહુડ છપ્પય સમ્યગ્દર્શન શાન ચરણ શિવકરણ જાનું, તે નિશ્ચય વ્યવહારરૂપ નીકૈ લીખ માનૂ સેવો નિશદિન ભક્તિભાવ ધરિ નિજબલ સારૂ, જિન આજ્ઞા સિર ધારિ અન્યમત તજિ અધકારૂા. ઈસ માનુષભવÉ પાયકે અન્ય ચારિત મતિ ધરો, ભવિજીવનિર્દૂ ઉપદેશ યહ ગહિકરિ શિવપદ સંચરોણા ૧ાા દોહા વંદૂ મંગલરૂપ જે અર મંગલ કરનાર પંચ પરમ ગુરુ પદ કમલ ગ્રંથ અંત હતિકા૨ાા ૨ાા અહીં કોઈ પ્રશ્ન કરે કે-ગ્રંથોમાં જ્યાં-ત્યાં પંચ ણમોકારનો મહિમા ઘણો લખ્યો છે, મંગલકાર્યમાં વિદનને દૂર કરવા માટે તેને મુખ્ય કહ્યો છે અને આમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર છે તે તો પંચપરમેષ્ઠીની મુખ્યતા થઈ. પંચ પરમેષ્ઠીને પરમ ગુરુ કહ્યા એમાં આ જ મંત્રની મહિમા તથા મંગલરૂપપણું અને તેનાથી વિપ્નનું નિવારણ, પંચ પરમેષ્ઠીનું પ્રધાનપણું અને ગુપણું તથા નમસ્કાર કરવાનું યોગ્યપણું કેવી રીતે છે તે કહો. તેના સમાધાનરૂપે થોડું લખીએ છીએ :- પ્રથમ તો પંચ ણમોકાર મંત્ર છે. તેના પાંત્રીસ અક્ષર છે. એ મંત્રના બીજાક્ષર છે, તથા તેમનો યોગ સર્વ મંત્રોથી પ્રધાન છે. આ અક્ષરોમાં ગુઆમ્નાયથી શુદ્ધ ઉચ્ચારણ થાય તથા સાધન યથાર્થ હોય ત્યારે આ અક્ષરો કાર્યમાં વિપ્નને દૂર કરવામાં કારણ છે, તેથી મંગલરૂપ છે, “મં”' અર્થાત્ પાપને ગાળે તેને મંગલ કહે છે. તથા ““મંગ'' અર્થાત્ સુખને લાગે-આપે તેને મંગલ કહે છે. તેથી બન્ને કાર્ય થાય છે. ઉચ્ચારણથી વિપ્ન ટળે છે, અર્થનો વિચાર કરવાથી સુખ થાય છે. માટે આને મંત્રમાં મુખ્ય કહ્યો છે. આ પ્રકારે તો મંત્રનો આશ્રય મહિમા છે. પંચપરમેષ્ઠીને આમાં નમસ્કાર છે. તે પંચપરમેષ્ઠી અરહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ છે. તેમનું સ્વરૂપ તો ગ્રંથોમાં પ્રસિદ્ધ છે, તો પણ થોડું લખીએ છીએ. આ અનાદિનિધન અકૃત્રિમ સર્વજ્ઞની પરંપરાથી સિદ્ધ આગમમાં કહ્યું છે કે, આવો પદ્રવ્યસ્વરૂપ લોક છે. તેમાં જીવદ્રવ્ય અનંતાનંત છે અને પુદ્ગલદ્રવ્ય એનાથી અનંતાનંતગુણા છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય ને આકાશદ્રવ્ય એક-એક-એક છે અને કાળદ્રવ્ય અસંખ્યાત છે. જીવ તો દર્શન-જ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે. અજીવ પાંચ છે. તે ચેતનારહિત જડ છે. ધર્મ, Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy