________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૭
(નોંધ:- પ્રવચનસાર ગાથા ૨૪૧-૨૪૨ માં જે સાતમાં ગુણસ્થાનમાં આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન, સંયમપણું અને નિશ્ચય આત્મજ્ઞાનમાં એકી સાથે આરૂઢને આત્મજ્ઞાન કહ્યું છે તે કથનની અપેક્ષા અહીં છે. (મુખ્ય-ગૌણ સમજી લેવું ) )
હવે આ જ અર્થને દઢ કરવા કહે છે:
पुरिसायारो अप्पा जोई वरणाणदंसणसमग्गो। जो झायदि सो जोई पावहरो हवदि णिबंदो।।८४।।
पुरुषाकार आत्मा योगी वरज्ञानदर्शनसमग्रः। यः ध्यायति स: योगी पापहरः भवति निर्द्वद्वः।।८४।।
છે યોગી પુરુષાકાર, જીવ વરજ્ઞાનદર્શનપૂર્ણ છે; ધ્યાનાર યોગી પાપનાશક ‘ઠંદ્રવિરહિત હોય છે. ૮૪
અર્થ:- ધ્યાનને યોગ્ય આ આત્મા કેવો છે? પુરુષાકાર છે, યોગી છે જેને મન-વચનકાયાના યોગનો નિરોધ છે, સુનિશ્ચલ છે અને “વર' અર્થાત્ શ્રેષ્ઠ સમ્યકરૂપ જ્ઞાન-દર્શનથી સમગ્ર-પરિપૂર્ણ છે-જેને કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત છે. આ પ્રકારના આત્માને જે યોગી-ધ્યાની મુનિ ધ્યાવે છે તે મુનિ-ધ્યાની પાપ હરનાર છે, નિર્લંદ છે-રાગ-દ્વેષાદિ વિકલ્પોથી રહિત છે.
ભાવાર્થ:- જે અરિહંતરૂપ શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તેના પૂર્વ કર્મોનો નાશ થાય છે અને વર્તમાનમાં રાગદ્વેષ રહિત થાય છે. ત્યારે આગામી કર્મોને બાંધતા નથી. ૮૪ આ પ્રકારે મુનિઓને પ્રવર્તવા માટે કહ્યું. હવે શ્રાવકોને કેવી રીતે પ્રવર્તવું તે કહે છે:
एवं जिणेहि कहियं सवणाणं सावयाणं पुण सुणसु। संसारविणासयरं सिद्धियरं कारणं परमं ।। ८५।। एवं जिनैः कथितं श्रमणानां श्रावकाणां पुनः श्रृणुत। संसारविनाशकारं सिद्धिकरं कारणं परमं ।।८५।।
શ્રમણાર્થ જિન-ઉપદેશ ભાખ્યો, શ્રાવકાર્થ સુણો હવે, સંસારનું હરનાર “શિવ-કરનાર કારણ પરમ એ. ૮૫
૧ પુરુષાકાર = પુરુષના આકારે. ૨ વરજ્ઞાનદર્શનપૂર્ણ = (સ્વભાવે) ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ. ૩
ધ્યાનાર = એવા જીવને-આત્માને-જે ધ્યાવે છે તે. ૪ ઇંદ્રવિરહિત = નિáદ્ધઃ (રાગદ્વેષાદિ) વંદ્વથી રહિત. ૫ શિવ-કરનાર = મોક્ષનું કરનાર; સિદ્ધિ કર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com