________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૫.
હવે ફરી મોક્ષમાર્ગીની પ્રવૃત્તિ કહે છે:
उद्धद्धमज्झलोये केई मज्झं ण अहयमेगागी।
इय भावणाए जोई पावंति हु सासयं सोक्खं ।। ८१ ।। उर्ध्वाधोमध्यलोके केचित् मम न अहकमेकाकी। इति भावनया योगिनः प्राप्नुवंति स्फुटं शाश्वतं सौख्यम्।।८१।।
છું એકલો હું, કોઈ પણ મારાં નથી લોક ત્રયે,
-એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌખ્યને. ૮૧ અર્થ - મુનિ એવી ભાવના કરે છે ઊર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક આ ત્રણે લોકોમાં મારું કોઈ પણ નથી, હું એકાકી આત્મા છું. આવી ભાવનાથી યોગી મુનિ પ્રગટરૂપથી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- મુનિ એવી ભાવના કરે કે ત્રિલોકમાં જીવ એકાકી છે, તેનો સંબંધી બીજો કોઈ નથી. આ પરમાર્થરૂપ એત્વભાવના છે. જે મુનિને આવી ભાવના નિરંતર રહે છે તે જ મોક્ષમાર્ગી છે. જે વેષ ધારણ કરીને પણ લૌકિક જનોથી લાલન-પાલનની અપેક્ષા રાખે છે તે મોક્ષમાર્ગી નથી. ૮૧
હવે ફરી કહે છે:
देवगुरुणं भत्ता णिव्वेयपरंपरा विचिंतिता। झाणरया सुचरिता ते गह्यिा मोक्खमग्गम्मि।।८२।। देवगुरुणां भक्त: निर्वेद परंपरां विचिन्तयन्तः।
ध्यानरताः सुचरित्राः ते गृहीताः मोक्षमार्गे।।८२।। જે દેવ-ગુરુના ભક્ત છે, 'નિર્વેદશ્રેણી ચિંતવે,
જે ધ્યાનરત, સુચરિત્ર છે, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮૨ અર્થ- જે મુનિ દેવ-ગુરુના ભક્ત છે, નિર્વેદ અર્થાત્ સંસાર-દેહ-ભોગોથી વિરાગતાની પરંપરાનું ચિંતન કરે છે, ધ્યાનમાં રત છે-રક્ત છે-તત્પર છે અને જેમને સારું-ઉત્તમ ચારિત્ર છે તેમને મોક્ષમાર્ગમાં ગ્રહણ કર્યા છે.
ભાવાર્થ- જેમણે મોક્ષમાર્ગ પ્રાપ્ત કર્યો છે એવા અરહંત સર્વજ્ઞ વીતરાગ દેવ
૧ નિર્વેદશ્રેણી = વૈરાગ્યની પરંપરા વૈરાગ્યભાવનાઓની હારમાળા. ૨ સુચરિત્ર = સારા ચારિત્રવાળા; સત્યારિત્રયુક્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com