________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
(અષ્ટપાહુડ
હતા. પાછળથી કાળદોષનો વિચાર કરીને ચારિત્ર પાળવામાં અસમર્થ બની નિગ્રંથ વેષથી ભ્રષ્ટ થઈને વસ્ત્રાદિ ધારણ કરી લીધા, પરિગ્રહ રાખવા લાગ્યા, યાચના કરવા લાગ્યા ને અધ:કર્મઉશિક આહાર કરવા લાગ્યા. આ બધાનો નિષેધ છે. તેથી તે મોક્ષમાર્ગથી ટ્યુત છે.
પહેલાં ભદ્રબાહુ સ્વામી સુધી બધા નિગ્રંથ દિગંબર મુનિ હતા. પાછળથી દુષ્કાળના વખતમાં ભ્રષ્ટ થઈને જે અર્ધફાલક કહેવાયા તેમાંથી શ્વેતામ્બર થયા. તેમણે આ વેષને પુષ્ટ કરવા માટે સૂત્રો બનાવ્યા. તેમાંથી કેટલાકે કલ્પિત આચરણ તથા તેમની સાધક કથાઓ લખી. એ સિવાય અન્ય પણ કેટલાય વેષ બદલ્યા. આ પ્રકારે કાળદોષથી ભ્રષ્ટ લોકોનો સંપ્રદાય ચાલી રહ્યો છે. તે મોક્ષમાર્ગ નથી એ પ્રમાણે અહીં બતાવ્યું છે. તેથી આ ભ્રષ્ટ લોકોને જોઈને આવો પણ મોક્ષમાર્ગ છે એવું શ્રદ્ધાન ન કરવું. ૭૯
હવે કહે છે કે મોક્ષમાર્ગી તો આવા મુનિ છે:
णिग्गंथमोहमुक्का बावीसपरीसहा जियकसाया। पावारंभविमुक्का ते गह्यिा मोक्खमग्गम्मि।।८०।। निग्रंथाः मोहमुक्ताः द्वाविंशतिपरीषहाः जितकषायाः।
पापारंभविमुक्ताः ते गृहीताः मोक्षमार्गे।।८।। નિર્મોહ, વિજિતકષાય, બાવીશ-પરિષહી, નિગ્રંથ છે, છે મુક્ત પાપારંભથી, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૮૦
અર્થ:- જે મુનિ નિગ્રંથ છે, પરિગ્રહ રહિત છે, મોહ રહિત છે, જેને કોઈપણ પરદ્રવ્યથી મમત્વભાવ નથી, જે બાવીશ પરિષહોને સહન કરે છે, જેમણે ક્રોધાદિ કષાયો જીતી લીધા છે અને પાપારંભથી રહિત છે, -ગૃહસ્થને કરવા યોગ્ય આરંભાદિક પાપોમાં પ્રવર્તતા નથી એવા મુનિઓનો મોક્ષમાર્ગમાં સ્વીકાર કર્યો છે-માન્યા છે.
(રત્નકાંડ શ્રાવકાચારમાં શ્રી સમતભદ્રાચાર્યે પણ કહ્યું છે કે- ‘‘વિષયાસવિશાતીતો निरारम्भोऽपरिग्रह: ज्ञानध्यानतपोरक्तस्तपस्वी स प्रशस्तते।। १०।।'
ભાવાર્થ- મુનિ છે તે લૌકિક કરો અને કાર્યોથી રહિત છે. જિનેશ્વરે બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત નગ્ન દિગમ્બરરૂપ જેવો મોક્ષમાર્ગ કહ્યો છે તેવી જ રીતે પ્રવર્તે છે તે મોક્ષમાર્ગી છે, અન્ય મોક્ષમાર્ગી નથી. ૮૦
૧ બાવીશ પરિષહી = બાવીશ પરિષહોને સહુનારા. ૨ ગૃહીત = ગ્રહવામાં આવેલા સ્વીકારવામાં આવેલા સ્વીકૃત; અંગીકૃત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com