________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૩
અર્થ- જેમની બુદ્ધિ પાપકર્મથી મોહિત છે તેઓ જિનવરેન્દ્ર તીર્થકરનું લિંગ ગ્રહણ કરીને પણ પાપ કરે છે તેઓ પાપી મોક્ષમાર્ગથી ટ્યુત છે.
ભાવાર્થ- જેમણે પહેલાં નિર્ચથલિંગ ધારણ કરી લીધું અને પાછળથી એવી પાપબુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ કે-હવે ધ્યાનનો કાળ તો છે નહિ તેથી શા માટે પ્રયત્ન કરવો? એવો વિચાર કરી પાપમાં પ્રવૃત્તિ કરવા લાગી જાય છે તેઓ પાપી છે, તેમને મોક્ષમાર્ગ નથી. ૭૮
(આ કાળમાં ધર્મધ્યાન (શુકલધ્યાન) કોઈને હોતું નથી, પરંતુ ભદ્રધ્યાન (વ્રતભક્તિ-દાન-પૂજાદિકના શુભભાવ) હોય છે. આથી જ નિર્જરા અને પરંપરા મોક્ષ માન્યો છે. અને આ પ્રકારે ૭મા ગુણસ્થાન સુધી ભદ્રધ્યાન અને પછીથી જ ધર્મધ્યાન માનવાવાળાઓ જ શ્રી. દેવસેનાચાર્યકૃત “આરાધનાસાર” નામ દઈને એક નકલી ગ્રંથ બનાવ્યો છે, તેનો ઉત્તર કેકડી નિવાસી પં. શ્રીમિલાપચંદજી કટારિયાએ “જૈનનિંબધ રત્નમાલા' પૃષ્ઠ ૪૭ થી ૬૦ માં આપ્યો છે કે આ કાળમાં ધર્મધ્યાન ગુણસ્થાન ૪ થી ૭ સુધી આગમમાં કહેલ છે. આધાર સૂત્રજીની ટીકાઓ શ્રી રાજધાર્તિક, શ્લોકવાર્તિક, સર્વાર્થ સિદ્ધિ આદિ.). હવે કહે છે કે જે મોક્ષમાર્ગથી ટ્યુત છે તે કેવા છે? :
जे पंचचेलसत्ता गंथग्गाही य जायणासीला। आधाकम्मम्मि रया ते चत्ता मोक्खमग्गम्मि।।७९।। ये पंचचेलसक्ताः ग्रंथग्राहिणः याचनाशीलाः।
अधः कर्मणि रताः ते त्यक्ताः मोक्षमार्गे।।७९ ।। જે પંચવસ્ત્રાસક્ત, પરિગ્રહધારી યાચનશીલ છે,
છે લીન આધાકર્મમાં, તે મોક્ષમાર્ગે ત્યક્ત છે. ૭૯ અર્થ - પાંચ પ્રકારના ચેલ અર્થાત્ વસ્ત્રોમાં આસક્ત છે, અંડજ (રેશમી), કપાસજ (સુતરાઉ), વલ્કલ (ઝાડની છાલ), ચર્મજ (ચામડાંના) અને રોમજ (ઉનનાં)-આ પ્રકારના વસ્ત્રોમાંથી કોઈ એક જાતના વસ્ત્ર ધારણ કરે છે વળી ગ્રંથગ્રાહી અર્થાત્ પરિગ્રહને ધારણ કરે છે, યાચનાશીલ અર્થાત માગવાની વૃત્તિ જેનો સ્વભાવ છે અને અધઃકર્મ અર્થાત પાપકર્મમાં રત છે, સદોષ આહાર કરે છે તે મોક્ષમાર્ગથી ચુત છે.
ભાવાર્થ:- અહીં આશય એવો છે કે પહેલાં તો નિગ્રંથ દિગંબર મુનિ બની ગયા
૧ પંચવશ્નાસક્ત = પંચવિધ વસ્ત્રોમાંઆસક્ત (અર્થાત્ રેશમી, સુતરાઉ, ગરમ વગેરે પાંચ પ્રકારના વસ્ત્રો ધારણ કરનારા) ૨ યાચનશીલ = યાચના સ્વભાવવાળા (અર્થાત માગીને-માગણી કરીનેઆહારાદિ લેનારા) ૩ લીન આધાકર્મમાં = અધ:કર્મમાં રત (અર્થાત્ અધ:કર્મરૂપ દોષવાળો આહાર લેનારા.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com