________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨
(અષ્ટપાહુડ
अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहहिं इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति।। ७७।।
अद्य अपि त्रिरत्नशुद्धा आत्मानं ध्यात्वा लभंते इन्द्रत्वम्। लौकान्तिक देवत्वं ततः च्युत्वा निर्वृतिं यांति।। ७७।।
આજે ય વિમલત્રિરત્ન, નિજને ધ્યાઈ ઇન્દ્રપણું લહે, વા દેવ લૌકાંતિક બને, ત્યાંથી ચ્યવી સિદ્ધિ વરે. ૭૭
અર્થ - વર્તમાન આ પંચમકાળમાં પણ જે મુનિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધતા સહિત હોય છે તેઓ આત્માનું ધ્યાન કરી ઇન્દ્રપદ અથવા લૌકાંતિક દેવપદને પ્રાપ્ત કરે છે અને ત્યાંથી ચ્યવીને નિર્વાણને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- કોઈ કહે છે કે અત્યારે આ પંચમકાળમાં જિનસૂત્રમાં મોક્ષ થવાનું કહ્યું નથી. તેથી ધ્યાન કરવું એ નિષ્ફળ-ખેદ છે. તેને કહે છે કે હે ભાઈ ! મોક્ષે જવાનો નિષેધ કર્યો છે અને શુકલ ધ્યાનનો પણ નિષેધ કર્યો છે, પરંતુ ધર્મધ્યાનનો નિષેધ તો કર્યો નથી. વર્તમાનમાં પણ જે મુનિ રત્નત્રયથી શુદ્ધ થઈને ધર્મધ્યાનમાં લીન થઈને આત્માનું ધ્યાન કરે છે તે મુનિ સ્વર્ગમાં ઇન્દ્રપદને પ્રાપ્ત થાય છે અથવા લૌકાન્તિક દેવ એક ભવાવતારી છે. તેમાં જઈને ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થઈ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ધર્મધ્યાનથી પરંપરા મોક્ષ થાય છે ત્યારે સર્વથા નિષેધ કેમ કહો છો? જે નિષેધ કહે છે તે અજ્ઞાની-મિથ્યાદષ્ટિ છે. તેમને વિષય-કષાયોમાં સ્વચ્છેદે રહેવું છે તેથી આ પ્રકારે કહે છે. ૭૭
હવે કહે છે કે જે આ કાળમાં ધ્યાનનો અભાવ માને છે અને પહેલાં મુનિલીંગ ગ્રહણ કરી લીધું તેને હવે ગૌણ કરીને પાપમાં પ્રવૃત્તિ કરે છે તે મોક્ષમાર્ગથી ચુત છે:–
जे पावमोहियमई लिंगं घेत्तुण जिणवरिंदाणं। पावं कुणंति पावा ते चत्ता मोक्खमग्गम्मि।।७८।।
ये पापमोहितमतयः लिंगं गृहीत्वा जिनवरेन्द्राणाम्। पापं कुर्वन्ति पापाः ते त्यक्त्वा मोक्षमार्गे।।७८।।
જે પાપમોહિત બુદ્ધિઓ ગ્રહી જિનવરોના લિંગને પાપો કરે છે, પાપીઓ તે મોક્ષમાર્ગે દૈત્યત છે. ૭૮
૧ વિમલતિરત્ન = શુદ્ધરત્નત્રય. ૨ પાપમોહિત બુદ્ધિઓ = જેમની બુદ્ધિ પા૫ મોહિત છે એવા જીવો. ૩ ત્યક્ત = તજાયેલા; અસ્વીકૃત; નહિ સ્વીકારયેલા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com