________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯O
(અષ્ટપાહુડ
चरियावरिया वद समिदिवज्जिया सुद्धभावपब्भट्ठा। केइ जंपति णरा ण हु कालो झाणजोयस्स।।७३ ।। चर्यावृताः व्रतसमितिवर्जिताः शुद्धभावप्रभ्रष्टाः। केचित् जल्पंति नराः न स्फुटं कालः ध्यानयोगस्य।।७३।।
'આવૃતચરણ, વ્રતસમિતિવર્જિત, શુદ્ધભાવવિહીન જે,
તે કોઈ નર જલ્પ અરે!“નહિ ધ્યાનનો આ કાળ છે.” ૭૩
અર્થ - કેટલાક મનુષ્ય એવા છે કે ચર્ચા અર્થાત્ આચાર્યક્રિયા આવરણ સહિત છેચારિત્ર મોહનો ઉદય પ્રબળ હોવાથી ચર્ચા પ્રગટ થતી નથી. તેથી જ વ્રત-સમિતિથી રહિત હોય છે. અને મિથ્યા અભિપ્રાયને કારણે શુદ્ધભાવથી અત્યંત ભ્રષ્ટ હોય છે. –તેઓ કહે છે કે વર્તમાનમાં પંચમકાળ છે આ કાળ પ્રગટ ધ્યાન-યોગનો નથી. ૭૩
તે પ્રાણી કેવા છે તે હવે કહે છે:
सम्मत्तणाणरहिओ अभव्य जीवो हु मोक्खपरिमुक्को। ससारसुहे सुरदो ण हु कालो भणइ झाणस्स।।७४।। सम्यक्त्वज्ञानरहितः अभव्यजीवः स्फुटं मोक्षपरिमुक्तः। संसारसुखे सुरतः न स्फुटं काल: भणति ध्यानस्य।।७४।। સમ્યકત્વવિહીન, શિવપરિમુક્ત જીવ અભવ્ય જે, તે સુરત ભવસુખમાં કહે-“નહિ ધ્યાનનો આ કાળ છે.” ૭૪
અર્થ - પૂર્વોક્ત ધ્યાનનો અભાવ કહેનાર જીવ સમ્યકત્વ તથા જ્ઞાનથી રહિત છે, અભવ્ય છે. ને તેથીજ મોક્ષથી રહિત છે અને સંસારનાં ઇન્દ્રિયસુખોને સારાં જાણીને તેમાં રત છે-આસક્ત છે. માટે કહે છે કે હમણા ધ્યાનનો કાળ નથી.
ભાવાર્થ- જેને ઇન્દ્રિયોનું સુખ જ વહાલું લાગે છે અને જીવ-અજીવ પદાર્થના શ્રદ્ધાન-શાનથી રહિત છે તે આ પ્રકારે કહે છે કે વર્તમાન ધ્યાનનો કાળ નથી. તેથી જણાય છે કે આ પ્રકારે કહેવાવાળા અભવ્ય છે, તેમનો મોક્ષ નહિ થાય. ૭૪
જે એવું માને છે-કહે છે કે વર્તમાન ધ્યાનનો કાળ નથી તો તેણે પાંચ મહાવ્રત પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિનું સ્વરૂપ પણ જાણ્યું નથી:
૧ આવૃતચરણ = જેમનું ચારિત્ર અવરાયેલું છે એવા. ૨ જલ્પ = બકવાદ કરે છે; બબડ છે; કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com