________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
(અષ્ટપાહુડ
પ્રતિકુળ છે. અને જ્ઞાની થયા પછી ચારિત્ર મોહનો ઉદય રહે છે ત્યાંસુધી કંઈક રાગ રહે છે તેને કર્મજન્ય અપરાધ માને છે, તે રાગ પ્રત્યે રાગ નથી. તેથી વિરક્ત જ છે. માટે જ્ઞાની પરદ્રવ્યથી રાગી કહેવાતા નથી. આ પ્રમાણે જાણવું. ૬૯ હવે આ અર્થને સંક્ષેપથી કહે છે:
अप्पा झायंताणं दंसणसुद्धीण दिढ चरिताणं। होदि धुवं णिव्वाणं विसएसु विरत्त चित्ताणं।। ७०।। आत्मानं ध्यायतां दर्शनशुद्धीनां दृढचारित्राणाम्। भवति ध्रुवं निर्वाणं विषयेषु विरक्त चित्तानाम्।। ७०।। જે આત્મને ધ્યાવે સુદર્શનશુદ્ધ, દઢચારિત્ર છે, વિષયે વિરક્તમનસ્ક તે શિવપદ લહે નિશ્ચિતપણે. ૭૦
અર્થ:- પૂર્વોક્ત પ્રકારે જેમનું મન વિષયોથી વિરક્ત છે, જે આત્માનું ધ્યાન કરતા રહે છે, જેમને બાહ્ય-અભ્યતર દર્શનની શુદ્ધતા છે અને જેમને દેઢ ચારિત્ર છે, તેમને નિશ્ચયથી નિર્વાણ થાય છે.
ભાવાર્થ- પહેલાં કહ્યું હતું કે જે વિષયોથી વિરક્ત હોય, આત્માનું સ્વરૂપ જાણીને આત્માની ભાવના કરે છે તે સંસારથી છૂટે છે. આ જ અર્થને સંક્ષેપથી કહ્યો છે કે-જે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈને બાહ્ય-અભ્યતર દર્શનની શુદ્ધતાથી દઢ ચારિત્ર પાળે છે તેમને નિયમથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ સર્વ અનર્થોનું મૂળ છે. માટે તેનાથી વિરક્ત થયા પછી ઉપયોગ આત્મામાં લાગે ત્યારે કાર્યસિદ્ધિ થાય છે. ૭૦
હવે કહે છે કે જે પરદ્રવ્યમાં રાગ છે તે સંસારનું કારણ છે, તેથી યોગીશ્વર આત્માની ભાવના કરે છે:
जेण रागो परे दव्वे संसारस्स हि कारणं। तेणावि जोइणो णिच्चं कुज्जा अप्पे समायणं ।।७१।। येन राग: परे द्रव्ये संसारस्य हि कारणम्। तेनापि योगी नित्यं कुर्यात् आत्मनि स्वभावनाम्।।७१।। પદ્રવ્ય પ્રત્યે રાગ તો સંસારકારણ છે ખરે; તેથી શ્રમણ નિત્યે કરો નિજભાવના સ્વાત્મા વિષે. ૭૧.
૧ સુદર્શન શુદ્ધ = સમ્યગ્દર્શન શુદ્ધ, દર્શનશુદ્ધિવાળા. ૨ દઢ ચારિત્ર = દઢચારિત્રયુક્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com