________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- ચારિત્ર છે તે જ્ઞાનમાં રાગદ્વેષ રહિત નિરાકુળતારૂપ સ્થિરતાભાવ છે. તે જીવનો જ અભેદરૂપ પરિણામ છે, કોઈ અન્ય વસ્તુ નથી. ૫૦ હવે જીવના પરિણામની સ્વચ્છતાને દષ્ટાંતપૂર્વક બતાવે છે:
जह फलिहमणि विसुद्धो परदव्वजुहो हवेइ अण्णं सो। तह रागादिविजुत्तो जीवो हवदि हु अणण्णविहो।। ५१।। यथा स्फटिकमणिः विशुद्धः परद्रव्ययुतः भवत्यन्यः सः। तथा रागादिवियुक्त: जीवः भवति स्फुटमन्यान्यविधः।। ५१।। નિર્મળ સ્ફટિક પારદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે,
ત્યમ જીવ છે નીરાગ પણ અચાન્યરૂપે પરિણમે. પ૧ અર્થ:- જેમ સ્ફટિકમણિ વિશુદ્ધ છે-નિર્મળ છે, ઉજ્વળ છે તે પરદ્રવ્ય-જે પીળાં, લાલ, લીલાં પુષ્પાદિક તેના સંગથી અન્ય જેવો દેખાય છે, -પીળાદિ રંગવાળો દેખાય છે, તેવી જ રીતે જીવ વિશુદ્ધ છે, –સ્વચ્છ સ્વભાવી છે. પરંતુ તે (અનિત્ય પર્યાયમાં પોતાની ભૂલથી સ્વથી શ્રુત થાય છે તો) રાગ-દ્વેષાદિક ભાવોમાં જોડાતાં અન્ય-અન્ય પ્રકારે થયેલો દેખાય છે. -એ પ્રગટ છે.
ભાવાર્થ- અહીં એમ જાણવું કે જે રાગાદિ વિકાર છે તે પુદગલનાં છે અને તે જીવના જ્ઞાનમાં આવીને ઝળકે છે ત્યારે તેનાથી જોડાઈને એ પ્રમાણે જાણે છે કે આ ભાવ મારા જ છે.
જ્યાં સુધી તેનું ભેદજ્ઞાન થતું નથી ત્યાંસુધી જીવ અન્ય-અન્ય પ્રકારે અનુભવમાં આવે છે. અહીં સ્ફટિકમણિનું દષ્ટાંત છે. તેને અન્ય પુષ્પાદિક દ્રવ્યનો સંગ થાય છે ત્યારે અન્યરૂપે દેખાય છે. આ પ્રકારે જીવના સ્વચ્છ ભાવની વિચિત્રતા જાણવી. ૫૧
હવે કહે છે કે જ્યાંસુધી મુનિને (માત્ર ચારિત્ર દોષમાં) રાગદ્વેષનો અંશ હોય છે ત્યાંસુધી સમ્યગ્દર્શન ધારણ કરતા હોવા છતાં આવા હોય છે:
देवगुरुम्मि य भत्तो साहम्मियसंजदेसु अणुरत्तो। सम्मत्तमुव्वहंतो झाणर ओ होदि जोई सो।।५२।। देवे गुरौ च भक्त: साधर्मिके च संयतेषु अनुरक्तः। सम्यक्त्वमुद्वहन् ध्यानरतः भवति योगी सः।।५२।। જે દેવ-ગુરુના ભક્ત ને સહધર્મીમુનિ-અનુરક્ત છે, *સમ્યકત્વના વહુનાર યોગી ધ્યાનમાં રત હોય છે. પ૨
૧ અનુરક્ત = અનુરાગવાળા વાત્સલ્યવાળા. ૨ સમ્યકત્વના વહુનાર = સમ્યકત્વને ધારી રાખનાર; સમ્યકત્વ પરિણતિએ પરિણમ્યા કરનાર ૩ રત = રતિવાળા: પ્રીતિવાળા; રુચિવાળા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com