________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
અર્થ:- જે યોગી-ધ્યાની મુનિ સમ્યકત્વને ધારણ કરે છે અને જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થતા નથી ત્યાંસુધી અરિહંત, સિદ્ધદેવમાં અને શિક્ષા-દીક્ષા આપનાર ગુરુમાં તે ભક્તિવાન હોય છે–તેની ભક્તિ વિનયસહિત હોય છે અને અન્ય સંયમી મુનિ, પોતાની જેમ ધર્મવાળા હોય છે તેમનામાં પ્રીતિવાળા હોય છે-અનુરાગ સહિત હોય છે, તે જ મુનિ ધ્યાનમાં પ્રીતિવાન હોય છે. વળી મુનિ થઈ ને દેવ-ગુરુ–સાધર્મીઓમાં ભક્તિ અને અનુરાગવાળા ન હોય તો તેને ધ્યાનમાં રુચિવાળા કહેતા નથી. કેમકે ધ્યાનવાળાને ધ્યાનવાનથી રુચિ-પ્રીતિ હોય છે. ધ્યાનવાળા ન ગમે ત્યારે જાણવું કે તેને ધ્યાન પણ રૂચતું નથી. આ પ્રમાણે જાણવું. પર
હવે કહે છે કે જે ધ્યાન સમ્યજ્ઞાનીને થાય છે તે જ તપ કરીને કર્મનો ક્ષય કરે છે:
उग्गतवेणण्णाणी जं कम्मं खवदि भवहि बहुएहिं । तं णाणी तिहि गुत्तो खवेइ अंतोमुहुत्तेण ।। ५३ ।।
उग्रतपसाऽज्ञानी यत् कर्म क्षपयति भवैर्बहुकैः । तज्ज्ञानी त्रिभिः गुप्तः क्षपयति अन्तर्मुहूर्तेन ।। ५३ ।।
તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે, જ્ઞાની જે 'ત્રિગુપ્તિક તે કરમ અંતર્મુહૂર્તે ક્ષય કરે. ૫૩.
અર્થ:- સમ્યક્ત્વ રહિત અજ્ઞાની મુનિ ઉગ્ર તપશ્ચર્યાઓ વડે કરોડો જન્મોમાં જેટલાં કર્મોનો ક્ષય કરે છે તેટલાં કર્મોનો નાશ સમ્યજ્ઞાની આત્મભાવના સહિત મન, વચન અને કાયાની ત્રણ ગુપ્તિ વડે અંતર્મુહૂર્તમાં કરે છે.
૨૭૭
ભાવાર્થ:- જે જ્ઞાનનું સામર્થ્ય છે તે ઉગ્ર તપનું પણ સામર્થ્ય નથી. તેનું કારણ એ છે કે–અજ્ઞાની મુનિ અનેક કષ્ટો સહીને ઉગ્ર તપ કરતો થકો મુનિ તેટલાં કર્મોનો નાશ અંતર્મુહૂર્તમાં કરી નાખે છે, આ જ્ઞાનનું સામર્થ્ય છે. ૫૩
હવે કહે છે કે જે ઇષ્ટ વસ્તુના સંબંધથી પરદ્રવ્યમાં રાગ-દ્વેષ કરે છે તે, તે ભાવથી અજ્ઞાની થાય છે, જ્ઞાનીનું તેનાથી ઉલટું છેઃ
૧ ત્રિગુપ્તિક = ત્રણ ગુપ્તિવંત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com