________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૭૫
હવે કહે છે કે જે શ્રમણ નિર્લોભી થઈને દઢ સમ્યકત્વ-જ્ઞાન ચારિત્રવાન થઈને પરમાત્માનું ધ્યાન કરે છે તે પરમપદને પામે છે:
होऊण दिढचरित्तो दिढसम्मत्तेण भावियमईओ। झायंतो अप्पाणं परमपयं पावए जोई।। ४९ ।। भूत्वा दृढचरित्रः दृढसम्यक्त्वेन भावितमतिः। ध्यायन्नात्मानं परमपदं प्राप्नोति योगी।।४९ ।।
પરિણત સુદઢ-સમ્યકત્વરૂપ, લહી સુદઢ-ચારિત્રને, નિજ આત્મને ધ્યાતાં થકાં યોગી પરમ પદને લહે. ૪૯
અર્થ:- પૂર્વોક્ત પ્રકારે જેની મતિ દઢ સમ્યકત્વથી ભાવિત છે એવા યોગી–ધ્યાની મુનિ દઢ ચારિત્રવાન થઈને આત્માનું ધ્યાન કરતાં કરતાં પરમ પદ અર્થાત્ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં દઢ થઈને પરિષહ આવવા છતાં પણ ચલાયમાન ન થાય-આ પ્રકારે આત્માનું ધ્યાન કરે છે તે પરમ પદ પ્રાપ્ત કરે છે એવું તાત્પર્ય છે. ૪૯
હવે દર્શન-જ્ઞાન-ચારિત્રથી નિર્વાણ થાય છે એવું કહેતા આવ્યા છે તે દર્શન-જ્ઞાન તો જીવનું સ્વરૂપ છે તે જાણું, પરંતુ ચારિત્ર શું છે? એવી આશંકાનો ઉત્તર કહે છે –
चरणं हवइ सधम्मो धम्मे सो हवइ अप्पसमभावो। सो रागरोसरहिओ जीवस्स अणण्ण परिणामो।।५०।।
चरणं भवति स्वधर्मः धर्म: सः भवति आत्मसमभावः। સ: RTISોષરહિત: નીવસ્ય અનન્યપરિણામ: ૬૦ના
ચારિત્ર તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સમભાવ છે, 'તે જીવના વણ રાગ રોષ અનન્યમય પરિણામ છે. ૫૦
અર્થ:- સ્વધર્મ અર્થાત્ આત્માનો ધર્મ છે તે ચરણ અર્થાત્ ચારિત્ર છે. ધર્મ છે તે આત્મસમભાવ છે-સર્વે જીવોમાં સમાન ભાવ છે. જે પોતાનો ધર્મ છે તે જ સર્વ જીવોમાં છે અથવા સર્વ જીવોને પોતાની સમાન માનવા છે. અને જે આત્મસ્વભાવથી (સ્વાશ્રયદ્વારા) રાગદ્વેષ રહિત છે. કોઈથી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ નથી એવું જેનું ચારિત્ર છે તે જીવના જેવાં દર્શનજ્ઞાન છે તેવા જ તેના અનન્ય પરિણામ છે, જીવનો જ ભાવ છે.
૧ તે = નિજ સમભાવ. ૨ વણ રાગ રોષ = રાગદ્વેષ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com