________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૭૩
તીવ્ર કષાયી અતિ આકુળતાયુક્ત થઈને નિરંતર દુઃખી રહે છે. તેથી આ જ રીતિ મોક્ષમાર્ગમાં પણ જાણો. જે ક્રોધ, માન, માયા, લોભ-એ ચાર કષાયોથી રહિત થાય છે ત્યારે નિર્મલ ભાવ થાય છે અને ત્યારે જ યથાખ્યાત ચારિત્ર પામીને ઉત્તમ સુખ પ્રાપ્ત કરે છે. ૪૫
હવે કહે છે કે જે વિષય કષાયોમાં આસક્ત છે, પરમાત્માની ભાવનાથી રહિત છે ને રૌદ્ર પરિણામી છે તે જિનમતથી પરાફમુખ છે. માટે તે મોક્ષના સુખો પ્રાપ્ત કરી શકતાં નથી.
विसयकसाएहि जुदो रुद्दो परमप्पभावरहियमणो। सो ण लहइ सिद्धिसुहं जिणमुद्दपरम्मुहो जीवो।।४६ ।।
विषयकषायैः युक्त: रुद्र: परमात्मभावरहितमनाः। सः न लभते सिद्धिसुखं जिनमुद्रापराङ्मुख: जीवः ।।४६ ।। પરમાત્મભાવનહીન રૂદ્ર, કષાયવિષયે યુક્ત જે, તે જીવ 'જિનમુદ્રાવિમુખ પામે નહીં શિવસૌખ્યને. ૪૬
અર્થ:- જે જીવ વિષય-કપાય યુક્ત છે, રૌદ્ર પરિણામી છે, હિંસાદિક વિષય કપાયાદિક પાપોમાં હર્ષસહિત પ્રવૃત્તિ કરે છે અને જેનું ચિત્ત પરમાત્માની ભાવનાથી રહિત છે એવો જીવ જિનમુદ્રાથી પરામુખ છે. તે સિદ્ધિ સુખને પ્રાપ્ત કરી શકતો નથી.
ભાવાર્થ - જિનમતમાં એવો ઉપદેશ છે કે જે જીવ હિંસાદિક પાપોથી વિરક્ત હોય, વિષય-કષાયોમાં આસક્ત ન હોય અને પરમાત્માનું સ્વરૂપ જાણીને તેની ભાવના સહિત હોય છે તે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આવી જિનમતની નિગ્રંથ મુદ્રાથી જે પરામુખ છે તેને મોક્ષ કેમ હોય? તે તો સંસારમાં જ ભ્રમણ કરે છે. અહીં રૂદ્રનું વિશેષણ આપ્યું છે. તેનો આશય એવો પણ છે કે રૂદ્ર અગિયાર હોય છે. તેઓ વિષય-કષાયોમાં આસક્ત બનીને જિનમુદ્રાથી ભ્રષ્ટ હોય છે. તેમનો મોક્ષ થતો નથી. તેમની કથા પુરાણોમાંથી જાણવી. ૪૬
હવે કહે છે કે જિનમુદ્રાથી મોક્ષ થાય છે, પરંતુ આ મુદ્રા જે જીવોને રૂચતી નથી તે સંસારમાં જ રહે છે –
जिणमुदं सिद्धिसुहं हवेइ णियमेण जिणवरुद्दिटुं। सिविणे वि ण रुच्चइ पुण जीवा अच्छंति भवगहणे।।४७।।
जिनमुद्रा सिद्धिसुखं भवति नियमेन जिनवरोद्दिष्टा। स्वप्नेऽपि न रोचते पुन: जीवाः तिष्ठति भवगहने।।४७।।
૧ પરમાત્મભાવનહીન = પરમાત્મભાવના રહિત; નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી રહિત. ૨ રૂદ્ર = રૌદ્ર પરિણામવાળો. ૩ જિનમુદ્રાવિમુખ = જિનસંદેશ યથાજાત મુનિરૂપથી પરાભુખ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com