SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates `ત્રણથી ધ૨ી ત્રણ, નિત્ય નૈત્રિકવિરહિતપણે "ત્રિકયુતપણે, રહી “દોષયુગલ વિમુક્ત ધ્યાવે યોગી નિજ ૫૨માત્મને. ૪૪ અર્થ:- ‘ત્રિભિ ’:-મન-વચન-કાયાથી, ‘ ત્રીન' વર્ષા-શીત-ગ્રીષ્મ-એ ત્રણ ઋતુ કાળ યોગને ધારણ કરી, ‘ત્રિકરહિતઃ’ માયા, -મિથ્યા, નિદાન-એ ત્રણ શલ્યથી રહિત થઈને, ‘ત્રિકેણ પરિકરિતઃ ’ દર્શન, -જ્ઞાન, -ચારિત્રથી સહિત થઈને અને ‘દ્વિદોષવિપ્રમુક્તઃ’ બે દોષ અર્થાત્ રાગ-દ્વેષથી રહિત થઈ યોગી-ધ્યાની મુનિ છે તે ૫૨માત્મા અર્થાત્ સર્વ કર્મ રહિત શુદ્ધ પરમાત્માનું ધ્યાન કરે છે. ભાવાર્થ:- મન-વચન-કાયાથી, ત્રણ ઋતુકાળયોગ ધારણ કરી પરમાત્માનું ધ્યાન કરે. આ પ્રકારે કષ્ટમાં દઢ રહે ત્યારે જાણ થાય છે કે મુનિને ધ્યાનની સિદ્ધિ છે. કષ્ટ આવે ત્યારે ચલાયમાન થઈ જાય તો ધ્યાનની સિદ્ધિ કેવી ? કોઈ પ્રકારનું ચિત્તમાં શલ્ય રહેવાથી ચિત્ત એકાગ્ર થતું નથી ત્યારે ધ્યાન કેવી રીતે થાય? તેથી શલ્ય રહિત કહ્યું. શ્રદ્ધા, જ્ઞાન, આચરણ યથાર્થ ન હોય ત્યારે ધ્યાન કેવું? તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર મંડિત કહ્યું. અને રાગદ્વેષ-ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિ રહે ત્યારે ધ્યાન કેવી રીતે બને? માટે પરમાત્માનું ધ્યાન કરે તે ઉ૫૨ કહેલા દોષોથી રહિત થઈને કરે એ તાત્પર્ય છે. ૪૪ હવે કહે છે કે જે આ પ્રકારે થાય છે તે ઉત્તમ સુખ પામે છે: मयमायकोहरहिओ लोहेण विवज्जिओ य जो जीवो। णिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं ।। ४५ ।। (અષ્ટપાહુડ मदमायाक्रोधरहितः लोभेन विवर्जितश्च यः जीवः । निर्मलस्वभावयुक्तः सः प्राप्नोति उत्तमं सौख्यम् ।। ४५ ।। જે જીવ માયા-ક્રોધ-મદ પરિવર્જીને, તજી લોભને, નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫ અર્થ:- જે જીવ મદ, માયા, ક્રોધ તેનાથી રહિત હોય અને લોભથી વિશેષરૂપથી રહિત હોય તે જીવ નિર્મળ વિશુદ્ધ સ્વભાવવાન થઈ ઉત્તમ સુખ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:- લોકમાં પણ એવું છે કે જે મદ અર્થાત્ અતિ અભિમાની અને માયા-કપટ તથા ક્રોધ તેનાથી રહિત હોય તેમ જ લોભથી વિશેષ રહિત હોય તે સુખ પામે છે. ૧ ત્રણથી = ત્રણ વડે ( અર્થાત્ મન-વચન-કાયાથી) ૨ ધી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત્ વર્ષા કાળયોગ, શીતકાળ યોગ તથા ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને) ૩ ત્રિક વિરહિતપણે = ત્રણથી (અર્થાત્ શલ્યત્રયથી ) રહિતપણે ૪ ત્રિકયુતપણે ત્રણથી સંયુક્તપણે ( અર્થાત્ રત્નત્રયથી સહિતપણે ) ૫ દોષયુગલવિમુક્ત બે દોષોથી રહિત (અર્થાત્ રાગ-દ્વેષથી રહિત ) Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy