________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૬૭
જે જાણવું તે જ્ઞાન, દેખે તેહ દર્શન જાણવું,
જે પાપ તેમ જ પુણ્યનો પરિહાર તે ચારિત કહ્યું, ૩૭. અર્થ:- જે જાણે છે તે જ્ઞાન છે, જે દેખે છે તે દર્શન છે અને જે પુણ્ય તથા પાપને પરિહારે છે તે ચારિત્ર છે-આ પ્રકારે જાણવું જોઈએ
ભાવાર્થ:- અહીં જાણવાવાળું, દેખવાવાળું અને ત્યાગવાવાળું જ્ઞાન દર્શન, ચારિત્ર કહ્યું. આ તો ગુણીના ગુણ છે, અને (ગુણ) કર્તા થતા નથી. તેથી જાણવા, દેખવા, ત્યાગવાની ક્રિયાનો કર્તા આત્મા છે. માટે આ ત્રણે આત્મા જ છે. ગુણ-ગુણીમાં કોઈ પ્રદેશ ભેદ હોતા નથી. આ પ્રકારે રત્નત્રય છે તે આત્મા જ છે એ રીતે જાણવું. ૩૭
હવે આ જ અર્થને બીજા પ્રકારથી કહે છે:
तच्चरुई सम्मत्तं तच्चग्गहणं हवइ सण्णाणं। चारित्तं परिहारो परूवियं जिणवरिंदेहिं।।३८।।
तत्त्वरुचिः सम्यक्त्वं तत्त्वग्रहणं च भवति संज्ञानम्। चारित्रं परिहार: प्रजल्पितं जिनवरेन्द्रैः।।३८।। છે તત્ત્વરુચિ, તત્ત્વતણું ગ્રહણ સજ્ઞાન છે, પરિહાર તે ચારિત્ર છે; જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૩૮
અર્થ - તત્ત્વચિ સમ્યકત્વ છે, તત્ત્વનું ગ્રહણ સમ્યજ્ઞાન છે. અને પરિહાર-ત્યાગ ચારિત્ર છે. આ પ્રકારે જિનવરેન્દ્ર તીર્થકર સર્વજ્ઞદેવે કહ્યું છે.
ભાવાર્થ- જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ-આ તત્ત્વોનું શ્રદ્ધાનરુચિ-પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, તેમને જ જાણવું તે સમ્યજ્ઞાન છે અને પરદ્રવ્યના પરિહાર સંબંધી ક્રિયાની નિવૃત્તિ તે ચારિત્ર છે. આ પ્રકારે જિનેશ્વરદેવે કહ્યું છે. તેમને નિશ્ચયવ્યવહારનયથી આગમ અનુસાર સાધવું. ૩૮ હવે સમ્યગ્દર્શનને મુખ્ય કરીને કહે છે:
दंसणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेइ णिव्वाणं। दंसणविहीणपुरिसो ण लहइ तं इच्छियं लाहं।। ३९ ।। दर्शनशुद्धः शुद्धः दर्शनशुद्धः लभते निर्वाणम्। दर्शनविहीन पुरुषः न लभते तं इष्टं लाभम्।।३९ ।।
૧ ગ્રહણ = સમજણ; જાણવું તે; જ્ઞાન. ૨ સજ્ઞાન = સમ્યજ્ઞાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com