________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૬
(અષ્ટપાહુડ
છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે સર્વજ્ઞાનીદર્શી છે, તું જાણે રે! જિનવરકથિત આ જીવ કેવળજ્ઞાન છે. ૩૫
અર્થ:- આત્મા જિનવર સર્વજ્ઞદેવે એવો કહ્યો છે. તે કેવો છે? “સિદ્ધ” છે- કોઈથી ઉત્પન્ન થયો નથી. સ્વયંસિદ્ધ છે; “શદ્ધ” છે-કર્મમળથી રહિત છે; “સર્વજ્ઞ” છે. સર્વ લોકાલોકને જાણે છે. અને “સર્વદર્શી” છે–સર્વ લોક-અલોકને દેખે છે. -આ પ્રકારે આત્મા છે. તો તું તેને જ કેવલજ્ઞાન જાણ અથવા તે કેવલજ્ઞાનને જ આત્મા જાણ. આત્મામાં અને જ્ઞાનમાં કાંઈ પ્રદેશભેદ નથી. ગુણ-ગુણી ભેદ છે તે ગૌણ છે. આ આરાધનાનું ફળ જે પહેલાં કહ્યું તે કેવળજ્ઞાન જ છે. ૩પ
હવે કહે છે કે જે યોગી જિનદેવના મતથી રત્નત્રયની આરાધના કરે છે તે આત્માનું ધ્યાન કરે છે:
रयणत्तयं पि जोई आराहइ जो हु जिणवरमएण। सो झायदि अप्पाणं परिहरइ परं ण संदेहो।।३६ ।।
रत्नत्रयमपि योगी आराधयति यः स्फुटं जिनवरमतेन। स: ध्यायति आत्मानं परिहरति परं न सन्देहः।।३६ ।।
જે યોગી આરાધે રતનત્રય પ્રગટ જિનવરમાર્ગથી, તે આત્મને ધ્યાવે અને પ૨ પરિહરે;-શંકા નથી. ૩૬
અર્થ:- જે યોગી-ધ્યાની મુનિ જિનેશ્વર દેવના મતની આજ્ઞાથી રત્નત્રય-સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની નિશ્ચયથી આરાધના કરે છે તે પ્રગટરૂપથી આત્માનું જ ધ્યાન કરે છે, કેમકે રત્નત્રય આત્માનો ગુણ છે અને ગુણ-ગુણીમાં ભેદ નથી. રત્નત્રયની આરાધના છે તે આત્માની જ આરાધના છે. તે જ પરદ્રવ્યને છોડે છે એમાં સદેહુ નથી.
ભાવાર્થ- સુગમ છે. ઘ૬
પહેલાં પૂછયું હતું કે આત્મામાં રત્નત્રય કેવી રીતે છે? તેનો ઉત્તર હવે આચાર્ય કહે
जं जाणइ तं णाणं जं पिच्छइ तं च दंसणं णेयं । तं चारित्तं भणियं परिहारो पुण्णपावाणं ।।३७।।
यत् जानाति तत् ज्ञानं यत्पश्यति तच्च दर्शनं ज्ञेयम्। तत् चारित्रं भणितं परिहारः पुण्यपापानाम्।।३७।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com