________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- કેટલાય અન્યમતી યોગી ધ્યાની કહેવાય છે. તેથી જૈનલિંગી પણ કોઈ દ્રવ્યલિંગને ધારણ કરવાથી ધ્યાની માનવામાં આવે તો તેના નિષેધ માટે આ પ્રમાણે કહ્યું છે કેમિથ્યાત્વ અને અજ્ઞાનને છોડી આત્માના સ્વરૂપને યથાર્થ જાણીને સમ્યક્ શ્રદ્ધાન જેણે કર્યું નથી તેને મિથ્યાત્વ-અજ્ઞાન તો લાગેલું જ છે ત્યારે ધ્યાન શેનું હોય ? તથા પુણ્ય-પાપ બન્ને બંધનસ્વરૂપ છે. તેમાં પ્રીતિ-અપ્રીતિ રહે છે. જ્યાં સુધી મોક્ષનું સ્વરૂપ પણ જાણ્યું નથી ત્યાંસુધી ધ્યાન શેનું હોય ? અને (સમ્યક્ પ્રકારે સ્વરૂપગુપ્ત સ્વઅસ્તિમાં સ્થિર થઈને) મન-વચનની પ્રવૃત્તિ છોડી દઈ મૌન ન કરે તો એકાગ્રતા કેવી રીતે થાય? તેથી મિથ્યાત્વ, અજ્ઞાન, પુણ્ય, પાપને મન-વચન-કાયની પ્રવૃત્તિ છોડવાને જ ધ્યાનમાં યોગ્ય કહી છે. આ પ્રકારે આત્માનું
ધ્યાન કરવાથી મોક્ષ થાય છે. ૨૮
હવે ધ્યાન કરવાવાળા મૌન ઘારણ કરીને રહે છે, તે ક્યો વિચાર કરીને મૌન રહે છે તે
કહે છેઃ
जं मया दिस्सदे रूवं तं ण जाणादि जागं दिस्सदे णेव तम्हा झंपेमि
૨ ન દશ્યમાન
सव्वहा । केणहं ।। २९ ।।
यत् मया दृश्यते रूपं तत् न जानाति सर्वथा । ज्ञायकं दृश्यते न तत् तस्मात् जल्पामि केन अहम् ।। २९ ।।
અર્થ:- જે રૂપને હું દેખું છું તે રૂપ મૂર્તિક વસ્તુ છે, જડ છે, અચેતન છે, સર્વ પ્રકારથી તે કંઈપણ જાણતું નથી. અને હું શાયક છું, અમૂર્તિક છું, આ તો જડ-અચેતન છે, તે સર્વ પ્રકારથી કાંઈ પણ જાણતું નથી. તેથી હું કોની સાથે બોલું?
=
દેખાય મુજને રૂપ જે તે જાણતું નહિ સર્વથા, ને જાણનાર `ન દશ્યમાન; હું બોલું કોની સાથમાં ? ૨૯
ભાવાર્થ:- જો બીજું કોઈ વાત કરવાવાળું હોય તો પરસ્પર બોલવાનો સંભવ છે. પરંતુ આત્મા તો અમૂર્તિક છે, એ કંઈ વચન બોલતો નથી. અને જે રૂપી પુદ્દગલ છે તે અચેતન છે તે કોઈને જાણતું નથી-દેખતું નથી. તેથી ધ્યાન કરવાવાળા મુનિ કહે (વિચારે) છે કે−હું કોની સાથે વાત કરૂં? એટલા માટે મારે મૌન છે. ૨૯
હવે કહે છે કે આ પ્રકારે ધ્યાન કરવાથી સર્વે કર્મોના આસવનો નિરોધ કરીને સંચિત કર્મોનો નાશ કરે છેઃ
દેખાતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com