________________
૨૫૬
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
હવે કહે છે કે જે આવા નિજદ્રવ્યનું ધ્યાન કરે છે તે નિર્વાણ પામે છેઃ
जे झायंति सदव्यं परदव्व परम्मुहा दु सुचरिता । ते जिणवराण मग्गे अणुलग्गा लहहिं ये ध्यायंति स्वद्रव्यं परद्रव्यं पराङ्मुखास्तु ते जिनवराणां मार्गे अनुलग्ना : लभते
णिव्याणं ।। १९ ।।
પરવિમુખ થઈ નિજ દ્રવ્ય જે ધ્યાવે સુચારિત્રીપણે, જિનદેવના મારગ મહીં રસંલગ્ન તે શિવપદ લહે. ૧૯
અર્થ:- જે મુનિ પદ્રવ્યથી પરાભુખ થઈને સ્વદ્રવ્યનું-નિજ આત્મદ્રવ્યનું ધ્યાન કરે છે
તે પ્રગટ સુચરિત્રા અર્થાત્ નિર્દોષ ચારિત્રયુક્ત થઈને જિનવર તીર્થંકરોના માર્ગનું અનુલગ્ન (– અનુસંધાન, અનુસરણ ) કરીને નિર્વાણ પ્રાપ્ત કરે છે.
૧ સંલગ્ન
सुचरित्राः । निर्वाणम् ।। १९ ।।
ભાવાર્થ:- ૫દ્રવ્યનો ત્યાગ કરી જે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે તે નિશ્ચય ચારિત્રરૂપ થઈને જિનમાર્ગમાં લાગે છે. તે મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૯
(અષ્ટપાહુડ
હવે કહે છે કે જિનમાર્ગમાં લાગેલા યોગી શુદ્ધાત્માનું ધ્યાન કરી મોક્ષને પ્રાપ્ત કરે છે તો શું તેનાથી સ્વર્ગ પ્રાપ્ત થઈ શકતું નથી ? અવશ્ય પ્રાપ્ત કરી શકે છેઃ
=
जिणवरमएण जोई झाणे झाएइ सुद्धमप्पाणं । जेण लहइ णिव्वाणं ण लहइकिं तिण सुरलोयं ।। २० ।। जिनवरमतेन योगी ध्याने ध्यायति शुद्धमात्मानम् । येन लभते निर्वाणं न लभते किं तेन सुरलोकम् ।।२०।।
જિનદેવમત-અનુસાર ધ્યાવે યોગી નિજશુદ્ધાત્મને ! જેથી લહે નિર્વાણ, તો શું નવ લહે `સ૨લોકને ? ૨૦
અર્થ:- યોગી-ધ્યાની મુનિ છે. તે જિનવર ભગવાનના મતથી શુદ્ધ આત્માને ધ્યાનમાં ધ્યાવે છે, તેથી નિર્વાણને પ્રાપ્ત કરે છે. તો તેનાથી શું સ્વર્ગલોક પ્રાપ્ત ન થઈ શકે? અવશ્ય જ પ્રાપ્ત થઈ શકે છે.
ભાવાર્થ:- કોઈ જાણતું હશે કે જિનમાર્ગમાં લાગી જઈને આત્માનું ધ્યાન કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે પરંતુ સ્વર્ગ તેમનાથી પ્રાપ્ત થઈ શકતું નથી. તેને કહે છે કે જિનમાર્ગમાં પ્રવર્તવાવાળા શુદ્ધ આત્માનું ધ્યાન કરી મોક્ષ પ્રાપ્ત કરે છે તો તેનાથી સ્વર્ગલોક શું કઠિન છે? તે તો તેના માર્ગમાં જ છે. ૨૦
લાગેલ; વળગેલ; જોડાયેલ. ૨ સુરલોક = દેવલોક; સ્વર્ગ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com