________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
હવે શિષ્ય પૂછે છે કે ૫૨દ્રવ્ય કેવું છે? તેનો ઉત્તર આચાર્ય કહે છે:
आदसहावादण्णं सच्चित्ताचित्तमिस्सियं हवदि । तं परदव्वं भणियं अवितत्थं सव्वदरिसीहिं ।। १७ ।।
आत्मस्वभावादन्यत् सच्चित्ताचित्तमिश्रितं भवति । तत् परद्रव्यं भणितं अवितत्थं सर्वदर्शिभिः।।१७।। 'આત્મસ્વભાવેતર સચિત્ત, અચિત્ત, તેમજ મિશ્ર જે,
તે જાણવું ૫૨દ્રવ્ય-સર્વશે કહ્યું અવિતથપણે. ૧૭
અર્થ:- આત્મસ્વભાવથી અન્ય સચિત્ત તો સ્ત્રી, પુત્રાદિક જીવ સહિત વસ્તુ છે તથા અચિત્ત તો ધન, ધાન્ય, હીરા, સુવર્ણાદિક અચેતન વસ્તુ અને મિશ્ર તો આભૂષણાદિ સહિત મનુષ્ય તથા કુટુંબ સહિત ગૃહાદિક છે. આ બધા પરદ્રવ્ય છે. આ પ્રકારે જેણે જીવાદિક પદાર્થોનું સ્વરૂપ જાણ્યું નથી તેને સમજાવવા માટે સર્વદર્શી સર્વજ્ઞ ભગવાને કહ્યું છે અથવા ‘અવિતસ્થં’ અર્થાત્ સત્યાર્થ કહ્યું છે.
ભાવાર્થ:- પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મા સિવાય અન્ય ચેતન-અચેતન-મિશ્ર વસ્તુ છે તે બધીજ પરદ્રવ્ય છે. આ પ્રકારે અજ્ઞાનીને સમજાવવા માટે સર્વજ્ઞદેવે કહ્યું છે. ૧૭
હવે કહે છે કે આત્મસ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું તે આ પ્રકારે છે:
दुकम्मरहियं अणोवमं णाणविग्गहं सुद्धं जिणेहिं कहियं अप्पाणं हवदि दुष्टाष्टकर्मरहितं अनुपमं ज्ञानविग्रहं नित्यम् । शुद्धं जिनैः भणितं आत्मा भवति स्वद्रव्यम् ।।१८।। દુષ્ટાષ્ટકર્મવિહીન, અનુપમ, જ્ઞાનવિગ્રહ, નિત્ય ને,
જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમા સ્વદ્રવ્ય છે. ૧૮
અર્થ:- સંસારનાં દુ:ખ આપવાવાળા જ્ઞાનાવરણાદિક દુષ્ટ આઠ કર્મોથી રહિત છે જેને કોઈની ઉપમા આપી શકાય નહિ એવો અનુપમ છે, જેનું જ્ઞાન એ જ શરીર છે, જેનો નાશ નથી એવો અવિનાશી-નિત્ય છે અને શુદ્ધ અર્થાત્ વિકાર રહિત છે તે કેવલજ્ઞાનમયી આત્મા જિન ભગવાન સર્વશે કહ્યો છે, તે જ સ્વદ્રવ્ય છે.
૧ આત્મસ્વભાવેતર = જ્ઞાનરૂપ શરીરવાળો.
णिच्चं। सद्दव्वं ।। १८ ।।
ભાવાર્થ:- જ્ઞાનાનંદમય, અમૂર્તિક, જ્ઞાનમૂર્તિ પોતાનો આત્મા છે. તે જ એક સ્વદ્રવ્ય છે, અન્ય બધા–ચેતન, અચેતન, મિશ્ર-૫૨દ્રવ્ય છે. ૧૮
=
૨૫૫
આત્મસ્વભાવથી અન્ય. ૨ અવિતથપણે
=
સત્યપણે; યથાર્થપણે. ૩ જ્ઞાનવિગ્રહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com