________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૫૩
અર્થ:- જે જીવ પરદ્રવ્યમાં રત છે-રાગી છે તે તો અનેક પ્રકારના કર્મોથી બંધાય છેકર્મોનો બંધ કરે છે અને જે પરદ્રવ્યથી વિરત છે-રાગી નથી તે અનેક પ્રકારના કર્મોથી છૂટે છેઆ બંધનો અને મોક્ષનો સંક્ષેપમાં જિનદેવનો ઉપદેશ છે.
ભાવાર્થ- બંધ-મોક્ષના કારણની કથની અનેક પ્રકારથી છે, તેનો આ સંક્ષેપ છે કે જે પદ્રવ્યથી રાગભાવ કરે તે બંધનું કારણ અને વિરાગભાવ કરે તે મોક્ષનું કારણ છે. આ પ્રકારે સંક્ષેપથી જિનેન્દ્રનો ઉપદેશ છે. ૧૩ હવે કહે છે કે જે સ્વદ્રવ્યમાં રત છે તે સમ્યગ્દષ્ટિ થાય છે અને કર્મોનો નાશ કરે છે:
सद्दव्वरओ सवणो सम्माइट्ठी हवेइ णियमेण। सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठट्ठकम्माइं।।१४।। स्वद्रव्यरतः श्रमणः सम्यग्दृष्टि भवति नियमेन। सम्यक्त्वपरिणतः पुनः क्षपयति दुष्टाष्टकर्माणि।।१४।। રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સુદૃષ્ટિ હોય છે,
સમ્યકત્વપરિણત વર્તતો દુષ્ટાક્ટ કર્મો ક્ષય કરે. ૧૪ અર્થ:- જે મુનિ સ્વદ્રવ્ય અર્થાત્ પોતાના આત્મામાં રત છે-ચિ સહિત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે, અને તે જ સમ્યકત્વભાવરૂપ પરિણમન કરતાં થકાં દુષ્ટ આઠ કર્મોનો ક્ષય-નાશ કરે છે.
ભાવાર્થ- આ પણ કર્મના નાશ કરવાના કારણનું સંક્ષેપમાં કથન છે. જે પોતાના સ્વરૂપની શ્રદ્ધા, ચિ, પ્રતીતિને આચરણથી યુક્ત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે. આ સમ્યકત્વભાવથી પરિણમન કરતા થકા મુનિ આઠ કર્મોનો નાશ કરીને નિર્વાણ પ્રાપ્ત કરે છે. ૧૪
હવે કહે છે કે જે પરદ્રવ્યમાં રત છે તે મિથ્યાષ્ટિ થઈ કર્મો બાંધે છે:
जो पुण परवव्वरओ मिच्छादिट्ठी हवेइ सो साहू। मिच्छत्तपरिणदो पुण बज्झदि दुट्ठट्ठकम्मेहिं।।१५।। यः पुनः परद्रव्यरतः मिथ्यादृष्टि: भवति सः साधुः। मिथ्यात्वपरिणतः पुनः बध्यते दुष्टाष्ट कर्मभिः।। १५ ।।
૧ દુખાષ્ટ કર્મો = દુષ્ટ આઠ કર્મો, ખરાબ એવા આઠ કર્મો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com