________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- મોહકર્મની પ્રકૃતિ એવા મિથ્યાત્વના ઉદયથી ( ઉદયને વશ થવાથી) જ્ઞાન પણ મિથ્યા થાય છે-પદ્રવ્યને પોતાનું જાણે છે અને તે મિથ્યાત્વ દ્વારા જ મિથ્યા શ્રદ્ધાન થાય છે. તેનાથી નિરંતર પર દ્રવ્યમાં આ ભાવના રહે છે કે, આ મને સદા પ્રાપ્ત થાય. તેથી આ જીવ આગામી દેહને સારો જાણીને ચાહે છે. ૧૧
હવે કહે છે કે જે મુનિ દેહમાં નિરપેક્ષ છે–દેહને ચાહતો નથી–તેમાં મમત્વ કરતો નથી તે નિર્વાણને પામે છે –
जो देहे णिरवेक्खो णिइंदो णिम्ममो णिरारंभो। आदसहावे सुरओ जोई सो लहइ णिव्वाणं ।।१२।। यः देहे निरपेक्षः निर्द्वन्दः निर्ममः निरारंभः। आत्मस्वभावे सुरतः योगी स लभते निर्वाणम्।।१२।। નિર્લેન્ડ, નિર્મમ, દેહમાં નિરપેક્ષ, મુક્તારંભ જે, જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨
અર્થ:- જે યોગી ધ્યાની મુનિ દેહમાં “નિરપેક્ષ' છે અર્થાત્ દેહને ચાહતા નથી–ઉદાસીન છે; “નિર્વ' છે-રાગદ્વેષરૂપ ઇષ્ટ–અનિષ્ટ માન્યતાથી રહિત છે; “નિર્મમત્વ' છે-દેહાદિકમાં “આ મારૂં” એવી બુદ્ધિથી રહિત છે; “નિરારંભ” છે-આ શરીર માટે તથા અન્ય લૌકિક પ્રયોજન માટે આરંભથી રહિત છે અને આત્મસ્વભાવમાં રત છે, -લીન છે, -નિરંતર સ્વભાવની ભાવના સહિત છે તે મુનિ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- જે બહિરાભાના ભાવને છોડી દઈ અંતરાત્મા બનીને પરમાત્મામાં લીન થાય છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ઉપદેશ બતાવ્યો છે. ૧૨ હવે બંધ અને મોક્ષના કારણના સંક્ષિપ્ત રૂપ આગમનું વચન કહે છે:
परदव्वरओ बज्झदि विरओ मुच्चेइ विविहकम्मेहिं। एसो जिणउवदेसो समासदो बंधमुक्खस्स।।१३।। परद्रव्यरत: बध्यते विरत: मुच्यते विविधकर्मभिः। US: નિનોપવેશ: સનાત: વંધમોક્ષસ્થાા ૨રૂ ા પદ્રવ્યરત બંધાય ‘વિરત મુકાય વિધવિધ કર્મથી; -આ, બંધમોક્ષ વિષે જિનેશ્વરદેશના સંક્ષેપથી. ૧૩
૧ મુક્તારંભ = નિરારંભ; આરંભ રહિત. ૨ વિરત = પરદ્રવ્યથી વિરમેલ; પરદ્રવ્યથી વિરામ પામેલ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com