________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫O
(અષ્ટપાહુડ
અર્થ:- મૂઢદષ્ટિ અજ્ઞાની મોહી મિથ્યાદૃષ્ટિ છે તે બાહ્ય પદાર્થ-ધન-ધાન્ય-કુટુંબ આદિ ઇષ્ટ પદાર્થોમાં સ્કુરિત (તત્પર) મનવાળો છે. તથા ઇન્દ્રિયો દ્વારા પોતાના આત્મસ્વરૂપથી ચુત છે અને ઇન્દ્રિયોને જ આત્મા જાણે છે. આવો થયો થકો પોતાના દેહને જ આત્મા જાણે છે, નિશ્ચય કરે છે-આ પ્રકારે મિથ્યાષ્ટિ બહિરાત્મા છે.
ભાવાર્થ- આવા બહિરાભાના ભાવ છે તેને છોડવા. ૮
હવે કહે છે કે મિથ્યાદષ્ટિ પોતાના દેહની સમાન બીજાના દેહને દેખીને તેને બીજાનો આત્મા માને છે.
णियदेहसरिच्छं पिच्छिऊण परविग्गहं पयत्तेण। अच्चेयणं पि गहियं झाइज्जइ परम भावेण।।९।।
निजदेहसदृशं द्रष्टवा परविग्रहं प्रयत्नेन। अचेतनं अपि गृहीतं ध्यायते परम भावेन।।९।। નિજદેહ સમ પરદેહ દેખી મૂઢ ત્યાં ઉધમ કરે, રતે છે અચેતન તોય માને તેને આત્માપણે. ૯
અર્થ - મિથ્યાષ્ટિ પુરુષ પોતાના દેહ સમાન બીજાના દેહને જોઈને, એ દેહ અચેતન છે તો પણ, મિથ્યાભાવથી આત્મભાવ દ્વારા ઘણો પ્રયત્ન કરીને, તેને પરનો આત્મા જ માને છે, અર્થાત્ સમજે છે.
ભાવાર્થ- બહિરામાં મિથ્યાદષ્ટિને મિથ્યાત્વકર્મના ઉદયથી (ઉદયને વશ થવાથી) મિથ્યાભાવ છે, માટે તે પોતાના દેહને આત્મા જાણે છે, તેવી જ રીતે પરનો દેહ અચેતન છે તો પણ તેને પરનો આત્મા માને છે. (અર્થાત્ પરને પણ દેહાત્મ બુદ્ધિથી માની રહ્યો છે અને એવા જ મિથ્યાભાવ સહિત ધ્યાન કરે છે.) અને તેમાં ઘણો પ્રયત્ન કરે છે. માટે આવા ભાવને છોડવો એ જ તાત્પર્ય છે. ૯ હવે કહે છે કે આવી જ માન્યતાથી બીજા મનુષ્યાદિમાં મોહની પ્રવૃત્તિ થાય છે -
सपरज्झवसाएणं देहेसु य अविदिदत्थमप्पाणं। सुयदाराईविसए मणुयाणं वइढण मोहो।।१०।। स्वपराध्यवसायेन देहेषु च अविदितार्थमात्मानम्। सुतदारादिविषये मनुजानां वर्द्धते मोहः।।१०।।
* સરિ€ પાઠાંતર “સરિસં' ૧ તે = પરનો દેહ. ૨ આત્માપણે = પરના આત્મા તરીકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com