________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૪૯
યુક્ત નથી :- સર્વ પ્રકારથી પ્રશંસાયોગ્ય છે; “કેવલ”—કેવળજ્ઞાનમયી છે; “વિશુદ્ધાત્મા' –જેના આત્માનું સ્વરૂપ વિશેષરૂપથી શુદ્ધ છે-જ્ઞાનમાં શયોનો આકાર ઝળકે છે તો પણ તે શેયોના આકારરૂપ થતા નથી. અને ન તેમનાથી રાગદ્વેષ છે; “પરમેષ્ઠી ”—પરમ પદમાં સ્થિત છે; પરમજિન’–સકળ કર્મોને જીતી લીધા છે; “શિવકર'-ભવ્ય જીવોને પરમ મંગલ તથા મોક્ષના કર્તા છે; “શાશ્વતા –અવિનાશી છે; “સિદ્ધ'–પોતાના સ્વરૂપની સિદ્ધિ કરીને નિર્વાણને પ્રાપ્ત થયા
ભાવાર્થ:- આવા પરમાત્મા છે. જે આવા પરમાત્માનું ધ્યાન કરે છે તે એવા જ થઈ જાય છે. ૬ હવે પણ આવો જ ઉપદેશ કરે છે:
आरुहवि अन्तरप्पा बहिरप्पा छंडिउण तिविहेण। झाइज्जइ परमप्पा उवइ8 जिणवरिंदेहिं।।७।। आरुह्य अंतरात्मानं बहिरात्मानं त्यक्त्वा त्रिविधेन। ध्यायते परमात्मा उपदिष्टं जिनवरैन्द्रैः।।७।। થઈ અંતરાત્મારૂઢ, બહિરાત્મા તજીને ત્રણવિધે,
‘ધ્યાતવ્ય છે પરમાતમા-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૭ અર્થ- બહિરામપણાને મન-વચન-કાયાથી છોડી દઈને, અંતરાત્માનો આશ્રય લઈ પરમાત્માનું ધ્યાન કરો-આ જિનવરેન્દ્ર તીર્થંકર પરમદેવે ઉપદેશ આપ્યો છે.
ભાવાર્થ- પરમાત્માનું ધ્યાન કરવાનો ઉપદેશ મુખ્યપણે કહ્યો છે. તેનાથી જ મોક્ષ પમાય છે. ૭ હવે બહિરાત્માની પ્રવૃત્તિ કહે છે:
बहिरत्थे फुरियमणो इंदियदारेण णियसरूवचओ। णियदेहं अप्पाणं अज्झवसदि मुढदिट्ठीओ।।८।। बहिरर्थे स्फुरितमनाः इन्द्रियद्वारेण निद्धस्वरूपच्युतः। निजदेहं आत्मानं अध्यवस्यति मूढद्रष्टिस्तु।।८।।
બાહ્યાર્થ પ્રત્યે સ્કુરિતમાન, સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી, નિજ દેહ અધ્યવસિત કરે આત્માપણે જીવ મૂઢધી. ૮
૧ અંતરાત્મારૂઢ = અંતરાત્મામાં આરૂઢ; અંતરાત્મારૂપે પરિણત. ૨ ધ્યાતવ્ય = ધ્યાવાયોગ્ય ધ્યાન કરવા યોગ્ય. ૩ બાહ્યર્થ = બહારના પદાર્થો. ૪ સ્ફરિતમાન = સ્કુરાયમાન (તત્પર) મનવાળો. ૫ સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી = ઇન્દ્રિયોદ્વારા આત્મસ્વરૂપથી ચુત. ૬ અધ્યવસિત કરે = માને. ૭ જીવમૂઢધા = મૂઢ બુદ્ધિવાળો જીવ; મૂઢબુદ્ધિ = અર્થાત્ બહિરાત્મા જીવ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com