________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
(અષ્ટપાહુડ
છે અક્ષધી બહિરાત્મ, આતમબુદ્ધિ અંતર-આતમા, જે મુક્ત કર્મકલંકથી તે દેવ છે પ૨માતમા. ૫
અર્થ:- અક્ષ અર્થાત્ સ્પર્શન આદિ ઇન્દ્રિયો તે તો બાહ્ય આત્મા છે, કેમકે ઇન્દ્રિયોથી સ્પર્શ આદિ વિષયોનું જ્ઞાન થાય છે. તેથી તો લોકો કહે છે કે આવી જે ઇન્દ્રિયો છે તે જ આત્મા છે આ પ્રકારે ઇન્દ્રિયોને બાહ્ય આત્મા કહે છે. અંતરાત્મા છે તે અંતરંગમાં આત્માનો પ્રગટ અનુભવગોચર સંકલ્પ છે. શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન મન દ્વારા દેખવા-જાણવાવાળો છે તે હું છું-આ પ્રકારે જેને સ્વસંવેદનગોચર સંકલ્પ છે તે જ અંતરાત્મા છે. તથા કર્મ જે દ્રવ્યકર્મજ્ઞાનાવરણાદિક તથા ભાવકર્મ-જે રાગદ્વેષ-મોહાદિક અને નોકર્મ-જે શરીરાદિક-કલંક-મળ તેમનાથી રહિત-વિમુક્ત અનંત જ્ઞાનાદિક ગુણસહિત છે તે જ પરમાત્મા છે, તે જ દેવ છે. અન્યને દેવ કહેવા તે તો ઉપચાર છે.
ભાવાર્થ:- બાહ્ય આત્મા તો ઇન્દ્રિયોને કહ્યો તથા અંતરાત્મા-દેહમાં સ્થિતને દેખવાજાણવાનું જેનાથી થાય છે એવા મન દ્વારા સંકલ્પ છે તેને અને પરમાત્મા-કર્મકલંકથી રહિત છે તેને કહ્યો. અહીં એમ બતાવ્યું છે કે આ જીવ જ્યાંસુધી બાહ્ય શરીરાદિકને જ આત્મા જાણે છે ત્યાં સુધી તો તે બહિરામાં છે. સંસારી છે. જ્યારે આ જ જીવ અંતરંગમાં આત્માને જાણે છે ત્યારે તે સમ્યગ્દષ્ટિ થાય છે. ત્યારે તે અંતરાત્મા છે. અને આ જીવ જ્યારે પરમાત્માના ધ્યાનથી કર્મકલંકથી રહિત થાય છે ત્યારે પહેલાં તો કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અરહંત થાય છે, પછી સિદ્ધપદ પ્રાપ્ત કરે છે-આ બન્નેને જ પરમાત્મા કહે છે. અરહંત તો ભાવકલંક રહિત છે અને સિદ્ધ દ્રવ્ય અને ભાવરૂપ બન્ને પ્રકારના કલંકથી રહિત છે-આ પ્રમાણે જાણો. ૫
હવે તે પરમાત્માના વિશેષણ દ્વારા તેમનું સ્વરૂપ કહે છે:
मलरहिओ कलचत्तो अणिंदिओ केवलो विसुद्धप्पा। परमेट्ठी परमजिणो सिवंकरो सासओ सिद्धो।।६।।
मलरहितः कलत्यक्तः अनिद्रिय केवल: विशुद्धात्मा। परमेष्ठी परमजिन: शिवंकर: शाश्वतः सिद्धः।।६।।
તે છે વિશુદ્ધાત્મા, અનિન્દ્રિય, મળરહિત તનમુક્ત છે, પરમેષ્ઠી, કેવળ, પરમજિન, શાશ્વત, શિવંકર સિદ્ધ છે. ૬
અર્થ - પરમાત્મા આવા છે:- “મળરહિત-દ્રવ્યકર્મ-ભાવકર્મરૂપ મળથી રહિત છે; ‘કલક્ત'–શરીર રહિત છે; “અનિન્દ્રિય” –ઇન્દ્રિય રહિત છે અથવા કોઈ પ્રકારની નિંદા
૧ અક્ષધી = ઇન્દ્રિયબુદ્ધિ; “ઇન્દ્રિયો તે જ આત્મા છે' એવી બુદ્ધિવાળો. ૨ શિવંકર = સુખકર, કલ્યાણકર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com