________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ )
ભાવાર્થ:- આચાર્યે શુદ્ધભાવનું ફળ સિદ્ધ અવસ્થાની અને નિશ્ચયથી જે આ ફળને પ્રાપ્ત થયેલ સિદ્ધ છે તેમને આ પ્રાર્થના કરી છે કે શુદ્ધભાવની પૂર્ણતા અમને થાવ. ૧૬૩
હવે ‘ભાવ’ ના કથનને સંકોચે છેઃ
किं जंपिएण बहुणा अत्थो धम्मो य काममोक्खो य । अण्णे वि य वावारा भावम्मि परिठ्ठिया सव्वे ।। १६४ ।।
किं जल्पितेन बहुना अर्थः धर्मः च काममोक्षः च । अन्ये अपि च व्यापारा: भावे परिस्थिताः सर्वे ।। १६४ ।।
બહુ કથન શું કરવું ? અરે ! ધર્માર્થ કામવિમોક્ષ ને બીજાય બહુ વ્યાપાર, તે સૌ ભાવ માંહી રહેલ છે. ૧૬૪
અર્થ:- આચાર્ય કહે છે કે બહુ કહેવાથી શું? ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને અન્ય જે કાંઈ વ્યાપાર છે તે બધો જ શુદ્ધ ભાવમાં સમસ્તરૂપથી સ્થિત છે.
ભાવાર્થ:- પુરુષના ચાર પ્રયોજન મુખ્ય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અન્ય પણ જે કંઈ મંત્ર-સાધનાદિક વ્યાપાર છે તે આત્માના શુદ્ધ ચૈતન્ય પરિણામસ્વરૂપ ભાવમાં સ્થિત છે. શુદ્ધ ભાવથી બધું સિદ્ધ છે-આ પ્રકારે સંક્ષેપથી કહ્યું તે જાણો. અધિક શું કહેવું ? ૧૬૪
હવે આ ભાવ પાહુડને પૂર્ણ કરતાં આને વાંચવાનો, સાંભળવાનો અને ભાવના (ચિંતન ) કરવાનો ઉપદેશ કરે છેઃ
इय भावपाहुडभिणं सव्वंबुद्धेहि देसियं सम्मं ।
जो पढइ सुणइ भावइ सो पावइ अविचलं ठाणं ।। १६५ ।।
૨૪૧
इति भावप्राभृतमिदं सर्व बुद्धैः देशितं सम्यक् । यः पठति श्रृणोति भावयति सः प्राप्नोति अविचलं स्थानम् ।। ९६५ ।।
એ રીત સર્વશે કથિત આ ભાવપ્રાભૂત-શાસ્ત્રનાં સુપઠન-સુશ્રવણ-સુભાવનાથી વાસ `અવિચળ ધામમાં, ૧૬૫
અર્થ:- આ પ્રકારે આ ભાવપાહુડનો સર્વબુદ્ધ-સર્વજ્ઞદેવે ઉપદેશ આપ્યો છે. આ શાસ્ત્રને
જે ભવ્યજીવ સમ્યપ્રકારે વાંચે છે, સાંભળે છે અને એનું ચિંતન કરે છે તે શાશ્વત સુખનું સ્થાન એવા મોક્ષને પામે છે.
૧ અવિચળ ધામ = સિદ્ધપદ, મોક્ષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com