________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૯
गुणगणमणिमालाए जिणमयगयणे णिसायरमुणिंदो। तारावलिपरियरिओ पुण्णिमइंदुव्व पवणपहे।। १६०।। गुणगण मणिमालया जिनमतगगने निशाकरमुनींद्रः। तारावलीपरिकरितः पूर्णिमेन्दुरिव पवनपथं ।। १६० ।। તારાવલી સહ જે રીતે પૂર્ણેન્દુ શોભે આભમાં, ગુણવંદમણિમાળા સહિત મુનિચંદ્ર જિનમત ગગનમાં. ૧૬૦
અર્થ:- જેમ પવન-પથ (આકાશ)માં તારાઓની પંક્તિના પરિવારથી વિંટળાયેલ પૂર્ણિમાનો ચંદ્ર શોભા પામે છે, તેમ જ જિનમતરૂપ આકાશમાં ગુણોના સમૂહરૂપ મણીઓની માળાથી મુનીન્દ્રરૂપ ચંદ્રમા શોભા પામે છે.
ભાવાર્થ- અઠ્ઠાવીસ મૂળગુણ, દશલક્ષણધર્મ, ત્રણ ગુપ્તિ અને ચોરાશી લાખ ઉત્તરગુણોની માળા સહિત મુનિ જિનમતમાં ચંદ્રમાં સમાન શોભા પામે છે. આવા મુનિ અન્ય મતમાં નથી. ૧૬૦
હવે કહે છે કે જેમને આ પ્રકારે વિશુદ્ધ ભાવ હોય છે તે પુરુષ તીર્થંકર આદિ પદના સુખો પામે છે:
चक्कहररामकेसवसुरवरजिणणहराइसोक्खाई। चारणमुणिरिद्धीओ विसुद्ध भावा णरा पत्ता।। १६१ ।।
चक्रधररामकेशवसुरवरजिनगणधरादि सौख्यानि। चारणमुन्यझै; विशुद्धभावा नराः प्राप्ताः।। १६१ ।।
"ચદેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને, ચારણમુનીંદ્રસુદ્ધિને 'સુવિશુદ્ધભાવ નરો લહે. ૧૬૧
અર્થ - વિશુદ્ધ ભાવવાળા આવા નર મુનિ છે તે ચક્રધર (ચક્રવર્તી છ ખંડના રાજેન્દ્ર), રામ (બલભદ્ર ), કેશવ (નારાયણ-અર્ધચક્રી), સુરવર (દેવોના ઇન્દ્ર), જિન (તીર્થકર પંચકલ્યાણક સહિત, ત્રણલોકના પૂજ્યપદ) તેમજ ગણધર (ચાર જ્ઞાન અને સાત ઋદ્ધિના ધારક મુનિ) એમનાં સુખોને તથા ચારણમુનિ (જેમને આકાશગામિની આદિ ઋદ્ધિઓ જોવામાં આવે છે) ની ઋદ્ધિઓને પામે છે.
૧ ચક્રશ-કેશવ-રામ-જિન-ગણી સુરવરાદિક-સૌખ્યને = ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર, તીર્થકર, ગણધર, દેવેન્દ્ર વગેરેનાં સુખને. ૨ સુવિશુદ્ધભાવ = શુદ્ધ ભાવવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com