________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૩૭
પ્રબળ તથા બળથી ઉદ્ધત એવા કપાયરૂપ સુભટોને જીત્યા છે તે જ ધીર-વીર સુભટ છે. અન્ય સંગ્રામાદિકમાં જીતવાવાળા તો કહેવાના જ સુભટ છે.
ભાવાર્થ- યુદ્ધમાં જીતવાવાળા શૂરવીર તો લોકમાં ઘણા છે, પરંતુ કષાયોને જીતવાવાળા વિરલા છે. તે મુનિપ્રધાન છે અને તે જ શુરવીરોમાં મુખ્ય છે. જે સમ્યગ્દષ્ટિ થઈને કષાયોને જીતીને ચારિત્રવાન થાય છે તે મોક્ષ પામે છે. એવો આશય છે. ૧૫૬
હવે કહે છે કે જે પોતે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ હોય છે તે અન્યને પણ તે રૂપ કરે છે, તેમને ધન્ય છે -
धण्णा ते भगवंता दंसणणाणग्गपवरहत्थेहिं। विसयमयरहरपडिया भविया उत्तारिया जेहिं।। १५७ ।।
ते धन्याः भगवंतः दर्शनज्ञानाग्रप्रवरहस्तैः। विषयमकरधरपतिताः भव्याः उत्तारिताः यैः।। १५७ ।। છે ધન્ય તે ભગવંત, દર્શન જ્ઞાન-ઉત્તમ કર વડે, જે પા૨ કરતા ‘વિષયમકરાક૨૫તિત ભવિ જીવને. ૧૫૭
અર્થ- જે સત્પરુષોએ વિષયરૂપ મકરાર (સમુદ્ર) માં પડેલા ભવ્ય જીવોને દર્શન અને જ્ઞાનરૂપી બન્ને મુખ્ય હાથોથી પાર ઉતારી દીધા, તે મુનિપ્રધાન ભગવાન ઇન્દ્રાદિકથી પૂજ્ય જ્ઞાની ધન્ય છે..
ભાવાર્થ- આ સંસાર-સમુદ્રથી પોતે તર્યા અને બીજાઓને તારી દે તે મુનિઓને ધન્ય છે. ધનાદિક સામગ્રી સહિતને ધન્ય” કહે છે, પણ તે તો કહેવા માત્ર ધન્ય છે. ૧૫૭ હવે ફરી આવા મુનિઓનો મહિમા કરે છે.
मायावेल्लि असेसा मोहमहातरुवरम्मि आरूढा। विसयविसपुप्फफुल्लिय लुणंति मुणि णाणसत्थेहिं।। १५८ ।।
मायावल्ली अशेषां मोहमहातरुवरे आरूढाम्। विषयविषपुष्पपुष्पितां लुनंति मुनयः ज्ञानशस्त्रैः।। १५८ ।। મુનિ જ્ઞાનશસ્ત્ર છેદતા સંપૂર્ણ માયાવેલને -બહુ વિષય-વિષપુષ્પ ખીલી, ‘આરૂઢ મોહમહાદ્રુમે. ૧૫૮
૧ દર્શનશાન-ઉત્તમકર = દર્શન અને જ્ઞાનરૂપ (બે) ઉત્તમ હાથ. ૨ વિષયમકરાકર = વિષયોરૂપી સમુદ્ર (મગરોનું સ્થાન ). ૩ ભવિ = ભવ્ય. ૪ આરૂઢમોહમહાદ્રમે = મોહરૂપી મહાવૃક્ષ પર ચડેલી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com