________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
(અષ્ટપાહુડ
ते च्चिय भणामि हं जे सयलकला सीलसंजमगुणेहिं। बहुदोसाणावासो सुमलिणचित्तो ण सावयसमो सो।।१५५ ।। तानेव च भणामि ये सकलकलाशीलसंयमगुणैः। बहुदोषाणामावासः सुमलिन चित्तः न श्रावकसमः सः।। १५५ ।। કહું તે જ મુનિ જે શીલસંયમગુણ-સમસ્તકળા-ધરે, જે મલિનમન બહુદોષઘર, તે તો ન શ્રાવકતુલ્ય છે. ૧૫૫
અર્થ:- પૂર્વોક્ત ભાવ સહિત સમ્યગ્દષ્ટિ પુરુષ છે અને શીલ-સંયમ ગુણોથી સકલ કલા અર્થાત્ સંપૂર્ણ કલાવાન હોય છે તેમને જ અમે મુનિ કહીએ છીએ. જે સમ્યગ્દષ્ટિ નથી, મલિન ચિત્ત સહિત મિથ્યાષ્ટિ છે અને ઘણાં દોષોનું ઘર છે તે તો વેષ ધારણ કરે છે તો પણ શ્રાવકની સમાન પણ નથી.
ભાવાર્થ:- જે સમ્યગ્દષ્ટિ છે અને શીલ (–ઉત્તર ગુણ) તથા સંયમ (મૂળગુણ) સહિત છે તે મુનિ છે. જે મિથ્યાષ્ટિ છે અર્થાત્ જેનું ચિત્ત મિથ્યાત્વથી મલિન છે અને જેમાં ક્રોધાદિ વિકારરૂપ ઘણા દોષો જોવામાં આવે છે તે તો મુનિનો વેષ ધારણ કરે છે તો પણ શ્રાવકની સમાન પણ નથી. શ્રાવક સમ્યક્દષ્ટિ હોય અને ગૃહસ્થાચારના પાપ સહિત હોય તો પણ તેમની બરાબર તે કેવળ વેષમાત્ર ધારણ કરવાવાળા મુનિ નથી.-એવું આચાર્યે કહ્યું છે. ૧૫૫.
હવે કહે છે કે સમ્યગ્દષ્ટિ થઈને જેમણે કપાયરૂપ સુભટો જીત્યા છે તે જ ધીર-વીર છેઃ
ते धीर वीर पुरिसा खमदमखग्गेण विप्फुरं तेण। दुज्जयपबल बलुद्धर कसायभड णिज्जिया जेहिं।। १५६ ।।
ते धीर वीर पुरुषाः क्षमादमखड्गेण विस्फुरता। दुर्जयप्रबलबलोद्धतकषायभटा: निर्जिता यैः।। १५६ ।। તે ધીરવીર નરો, ક્ષમાદમ-
તણખગે જેમણે, જીત્યા સુદુર્જય-ઉગ્રબળ-મદમત્ત-સુભટ-કષાયને. ૧૫૬
અર્થ - જે પુરુષોને ક્ષમા અને ઇન્દ્રિયોનું દમન છે તે તેમનું વિસ્તૃરિત અર્થાત્ સજાવેલું ને મલિનતા રહિત ઉલ તીક્ષ્ણ ખડ્યું છે તેનાથી જેમને જીતવા કઠિન છે એવા દુર્જય,
૧ મલિનમન = મલિન ચિત્તવાળો. ૨ ક્ષમાદમ-તીક્ષ્યખડગે = ક્ષમા(પ્રશમ ) અને જિતેંદ્રિયતારૂપી તીક્ષ્ણ તરવારથી. ૩ સુભટ = યોદ્ધા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com