________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
(અષ્ટપાહુડ
इव घाइकम्ममुक्को अट्ठारहदोसवज्जिओ सयलो। तिहुवणभवणपदीवी देउ ममं उत्तमं बोहिं।। १५२ ।।
इति घातिकर्ममुक्तः अष्टादशदोषवर्जितः सकलः। त्रिभुवनभवनप्रदीपः ददातु मह्यं उत्तमां बोधिम्।। १५२ ।। ચઉઘાતિકર્મવિમુક્ત, દોષ અઢાર રહિત, સદેહ એ ‘ત્રિભુવનભવનના દીપ જિનવર બોધિ દો ઉત્તમ મને. ૧૫૨
અર્થ:- આ પ્રમાણે ઘાતિયા કર્મોથી રહિત, સુધા, તૃષા આદિ પૂર્વોક્ત અઢાર દોષોથી રહિત, સકલ (શરીર સહિત) અને ત્રણ ભુવનરૂપી ભવનને પ્રકાશિત કરવા માટે પ્રકૃષ્ટ દીપક તુલ્ય દેવ છે. તે મને ઉત્તમ બોધિ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની પ્રાપ્તિ કરાવે-આ પ્રકારે આચાર્યે પ્રાર્થના કરી છે.
ભાવાર્થ- અહીં બાકીનું તો પૂર્વોક્ત પ્રકારે જાણવું, પરંતુ “સકલ' વિશેષણનો આ આશય છે કે-મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરવાનો જે ઉપદેશ છે તે વચનના પ્રવર્તન વિના થતો નથી અને વચનની પ્રવૃત્તિ શરીર વિના થતી નથી. તેથી અરહંતને આયુ કર્મના ઉદયથી શરીર સહિત અવસ્થાન (સ્થિતિ) રહે છે, અને સુસ્વર આદિ નામકર્મના ઉદયથી વચનની પ્રવૃત્તિ થાય છે. આ રીતે અનેક જીવોના કલ્યાણ કરવાવાળો ઉપદેશ થતો રહે છે. અન્યમતિઓને આવી સ્થિતિવાળા પરમાત્માનો સંભવ નથી. માટે ઉપદેશની પ્રવૃત્તિ બનતી નથી. તેથી મોક્ષમાર્ગનો ઉપદેશ પણ બનતો નથી-આ પ્રકારે જાણવું જોઈએ. ૧૫ર
- હવે કહે છે કે જે આવા અરહંત જિનેશ્વરના ચરણોમાં નમસ્કાર કરે છે તે સંસારની જન્મરૂપી વેલ કાપી નાખે છે:
जिणवरचरणंबुरुहं णमंति जे परमभत्तिराएण। ते जम्मवेल्लिमूलं खणंति वरभावसत्थेण।। १५३ ।। जिनवरचरणांबुरुहं नमंतिये परमभक्तिरागेण। ते जन्मवल्लीमूलं खनंति वरभावशस्त्रेण।। १५३ ।।
જે પરમભક્તિરાગથી જિનવ૨૫દાંબુજને નમે, તે જન્મવેલીમૂળને વર ભાવશસ્ત્ર વડે ૨ખણે. ૧૫૩
અર્થ:- જે પુરુષ પરમ ભક્તિ-અનુરાગથી જિનવરના ચરણ કમળોને નમસ્કાર કરે
૧ ત્રિભુવન ભવનના દીપ = ત્રણ લોકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ. ૨ વર = ઉત્તમ ૩ ખણે = ખોદે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com