________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
(અષ્ટપાહુડી
જ્યમ ચંદ્ર તારાગણ વિષે, મૃગરાજ સૌ 'મૃગકુલ વિષે, ત્યમ અધિક છે સમ્યકત્વ ઋષિશ્રાવક-દ્વિવિધ ધર્મો વિષે. ૧૪૪
અર્થ:- જેમ તારાઓના સમૂહમાં ચંદ્રમા મોટો છે અને મૃગકુલ અર્થાત્ પશુઓના સમૂહમાં મૃગરાજ ( સિંહ) મહાન છે, તેવી રીતે ઋષિ (મુનિ) અને શ્રાવક-આ બે પ્રકારના ધર્મોમાં સમ્યકત્વ છે તે મહાન છે.
ભાવાર્થ- વ્યવહારધર્મની જેટલી પ્રવૃત્તિઓ છે તેમાં સમ્યકત્વ મહાન છે. એના વિના સઘળો સંસારમાર્ગ બંધનું કારણ છે. ૧૪૪
ફરી કહે છે:
जह फणिराओ सोहइ फणमणिमाणिक्ककिरण विप्फुरिओ। तह विमल दंसणधरो जिणभत्ती पवयणे जीवो।।१४५।।
यथा फणिराजः शोभते फणमणि माणिक्यकिरण विस्फुरितः। तथा विमलदर्शनधर: जिनभक्तिः प्रवचने जीवः।। १४५।।
નાગેન્દ્ર શોભે ફેણમણિમાણિકય કિરણે ચમકતો, તે રીત શોભે શાસને જિનભક્ત દર્શનનિર્મળો. ૧૪૫
અર્થ:- જેમ ફણિરાજ (ધરણેન્દ્ર) કે જેને હજાર ફેણ છે તેમાં લાગેલા મણિઓની વચ્ચે માણેક તેના કિરણોથી દેદીપ્યમાન-શોભા પામે છે તેવી રીતે નિર્મળ સમ્યગ્દર્શનના ધારક જીવ જિનભક્તિ સહિત છે ને તેથી પ્રવચનમાં અર્થાત્ મોક્ષમાર્ગના પ્રરૂપણમાં શોભા પામે છે.
ભાવાર્થ- સમ્યકત્વ સહિત જીવની જિન-પ્રવચનમાં ઘણી મહાનતા છે. જ્યાં-ત્યાં સર્વ જગ્યાએ શાસ્ત્રોમાં સમ્યકત્વની જ મુખ્યતા કહી છે. ૧૪૫
હવે સમ્યગ્દર્શન સહિત લિંગ છે તેનો મહિમા કહે છે:
जह तारायणसहियं ससहरबिंब खमंडले विमले। भाविय तववयविमलं जिणलिंगं दंसणविसुद्धं ।। १४६ ।।
यथा तारागणसहितं शशधरबिंबं खमंडले विमले। भावतं तपोव्रतविमलं जिनलिंगं दर्शन विशुद्धम्।।१४६ ।।
૧ મૃગરાજ = સિંહું ૨ મૃગકુલ = પશુસમૂહુ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com