________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૭
ભાવાર્થ- આ પ્રકારે મિથ્યાત્વનું વર્ણન કર્યું. આચાર્ય કહે છે કે ઘણા નિરર્થક વચનાલાપથી શું? આટલું જ ટૂંકાણમાં કહીએ છીએ કે ત્રણસો ત્રેસઠ કુવાદી પાખંડીઓ કહ્યા તેમનો માર્ગ છોડીને જિનમાર્ગમાં મનને જોડો, અન્યત્ર ન જવા દો. અહીં એટલું વિશેષ જાણવું કે-કાળદોષથી આ પંચમકાળમાં અનેક પક્ષપાતથી મત-મતાંતર થઈ ગયા છે. તેમને પણ મિથ્યા જાણીને તેમનો સંગ ન કરો. સર્વથા એકાંતનો પક્ષપાત છોડીને અનેકાંતરૂપ જિન વચનનું શરણ લો. ૧૪૨
હવે સમ્યગ્દર્શનનું નિરૂપણ કરે છે. પહેલાં કહે છે કે “સમ્યગ્દર્શન રહિત પ્રાણી ચાલતો
મૃતક '' છેઃ
जीवविमुक्त: शवः दर्शनमुक्तश्च भवति चलशवः। વ: નો અપૂછ્યું: નોવોત્તરે વનશવ: ૨૪રૂ /
जविविमुक्को सबओ दंसणमुक्को य होइ चलसबओ। सबओ लोयअपुज्जो लोउत्तरयम्मि चलसबओ।।१४३।।
જીવમુક્ત શબ કહેવાય “ચલ શબ” જાણ દર્શનમુક્તને; શબ લોક માંહી અપૂજ્ય, ચલ શબ હોય લોકોત્તર વિષે. ૧૪૩
અર્થ - લોકમાં જીવરહિત શરીરને શબ કહે છે-મૃતક અર્થાત્ મડદું કહે છે. તેવી જ રીતે સમ્યગ્દર્શન રહિત પુરુષ ચાલતું-ફરતું મડદું છે. મૃતક તો લોકમાં અપૂજ્ય છે. અગ્નિથી સળગાવી દેવામાં આવે છે અથવા જમીનમાં દાટી દેવામાં આવે છે અને “દર્શનરહિત ચાલતું મૃતક” લોકોત્તર જે મુનિ-સમ્યગ્દષ્ટિ છે તેમનામાં અપૂજ્ય છે. તેઓ તેને વંદનાદિ કરતા નથી. મુનિવેષ ધારણ કરેલો હોય તો પણ તેને સંઘની બહાર રાખે છે અથવા પરલોકમાં નિંધગતિ પામીને અપૂજ્ય થાય છે.
ભાવાર્થ- સમ્યગ્દર્શન વિનાનો પુરુષ મૃતતુલ્ય છે. ૧૪૩
હવે સમ્યકત્વનું મહાનપણું કહે છે:
जह तारयाण चंदो मयराओ मयउलाण सव्वाणं। अहिओ तह सम्मत्तो रिसिसावयदुविहधम्माणं ।।१४४।।
यथा तारकाणां चन्द्रः मृगराज: मृगकुलानां सर्वेषाम। अधिकः तथा सम्यक्त्वं ऋषिश्रावकद्विविध धर्माणाम्।।१४४ ।।
૧ ચલ શબ = હાલતું-ચાલતું મડદું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com