________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
(અષ્ટપાહુડ
હવે આજ અર્થને દઢ કરતાં એમ કહે છે કે આવા મિથ્યાત્વથી મોહિત જીવ સંસારમાં ભ્રમણ કરે છે:
इय मिच्छत्तावासे कुणयकुसत्थेहिं मोहिओ जीवो। भमिओ अणाइकालं संसारे धीर चिंतेहि।। १४१ ।।
इति मिथ्यात्वावासे कुनयशास्त्रैः मोहितः जीवः । भ्रमितः अनादिकालं संसारे धीर! चिन्तय।।१४१।।
હે ધીર! ચિંતવ-જીવ આ મોહિત કુનય-દુ:શાસ્ત્રથી, ' મિથ્યાત્વઘરસંસારમાં રખડ્યો અનાદિ કાળથી. ૧૪૧
અર્થ - ઈતિ અર્થાત્ પહેલાં કહ્યા મુજબ મિથ્યાત્વનું આવાસ (સ્થાન) –આ મિથ્યાષ્ટિઓનો સંસાર, તેમાં કુનય-સર્વથા એકાંત તે સહિત કુશાસ્ત્ર તેનાથી મોહિત (બેહોશ) થયેલો આ જીવ અનાદિ કાળથી લઈને સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. એમ હું ધીર મુને ! તું વિચાર કર.
ભાવાર્થ- આચાર્ય કહે છે કે પૂર્વોક્ત ત્રણસો ત્રેસઠ કુવાદીઓથી સર્વથા એકાંતપક્ષરૂપ કુનય દ્વારા રચાયેલાં શાસ્ત્રોથી મોહ પામીને આ જીવ સંસારમાં અનાદિ કાળથી ભ્રમણ કરી રહ્યો છે. તેથી હું ધીર મુને ! હવે એવા કુવાદીઓની સંગતિ પણ ન કર–આ ઉપદેશ છે. ૧૪૧
હવે કહે છે કે પૂર્વોક્ત ત્રણસો ત્રેસઠ પાખંડીઓનો માર્ગ છોડી જિનમાર્ગમાં મન લગાડો -
पासंडी तिण्णि सया तिसट्ठि भेया उमग्ग मुत्तूण। रुंभहि मणु जिणमग्गे असप्पलावेण किं बहुणा।। १४२।।
पाखण्डिनः त्रीणि शतानि त्रिषष्टि भेदा: उन्मार्ग मुक्त्वा। रुन्द्धि मनः जिनमार्गे असत्प्रलापेन किं बहुना।।१४२।।
ઉન્માર્ગને છોડી ત્રિશત-તેસઠપ્રમિત પાખંડીના, જિનમાર્ગમાં મન રોક; બહુ પ્રલપન નિરર્થથી શું ભલા? ૧૪૨
અર્થ:- હે જીવ! ત્રણસો ત્રેસઠ પાખંડીઓના માર્ગને છોડીને જિનમાર્ગમાં પોતાના મનને જોડો-રોકો. આ સંક્ષેપ છે. અન્ય નિરર્થક પ્રલાપરૂપ કહેવાથી શું?
૧ મિથ્યાત્વઘર = (૧) મિથ્યાત્વનું ઘર એવા, અથવા ૨ મિથ્યાત્વ જેનું ઘર છે એવા ૩ નિરર્થ = નિરર્થક : વ્યર્થ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com