________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૫
હવે આ જ અર્થને દઢ કરે છે -
मिच्छत्तछण्णदिट्ठी दुद्धीए दुम्मएहिं दोसेहिं। धम्मं जिणपण्णत्तं अभव्वजीवो ण रोचेदि।। १३९ ।।
मिथ्यात्वछन्नदृष्टि: दुर्धिया दुर्मतैः दोषैः। धर्म जिनप्रज्ञप्तं अभव्यजीवः न रोचयति।। १३९ ।।
*દુર્બદ્ધિ-દુર્મતદોષથી ‘મિથ્યાત્વઆવૃત્તદગ રહે, આત્મા અભવ્ય જિનંદ્ર શાપિત ધર્મની રુચિ નવ કરે. ૧૩૯
અર્થ:- દુર્મત-જે સર્વથા એકાંતી મત તેમનાથી પ્રરૂપિત અન્યમત, તે જ થયો દોષ. તેના દ્વારા પોતાની દુર્બુદ્ધિથી (મિથ્યાત્વથી) ઢંકાઈ ગઈ છે બુદ્ધિ જેની એવો અભવ્ય જીવ છે. તેને જિનપ્રણીત ધર્મ રૂચતો નથી, તે તેની શ્રદ્ધા કરતો નથી, તેમાં રુચિ કરતો નથી.
ભાવાર્થ- મિથ્યાત્વના ઉપદેશથી પોતાની દુર્બુદ્ધિ દ્વારા જે મિથ્યાદષ્ટિ છે તેને જિનધર્મ રૂચતો નથી. ત્યારે જ્ઞાત થાય છે કે એ અભવ્ય જીવનો ભાવ છે. યથાર્થ અભવ્ય જીવને તો સર્વજ્ઞ જાણે છે. પરંતુ આ અભવ્ય જીવનું ચિહ્ન છે, તેનાથી પરીક્ષા દ્વારા જાણી શકાય છે. ૧૩૯
હવે કહે છે કે આવા મિથ્યાત્વના નિમિત્તથી જીવ દુર્ગતિને પાત્ર થાય છે
कुच्छियधम्मम्मि रओ कुच्छियपासंडि भत्ति संजुत्तो। कुच्छियतवं कुणंतो कुच्छियगइभायणो होइ।।१४०।।
कुत्सित धर्मे रतः कुत्सितपाषंडि भक्ति संयुक्तः। कुत्सिततपः कुर्वन् कुत्सितगति भाजनं भवति।।१४०।।
કુત્સિત ધરમ-રત, ભક્તિ જે પાખંડી કુત્સિતની કરે, કુત્સિત કરે ત૫, તેહ કુત્સિત ગતિ તણું ભાજન બને. ૧૪૦
અર્થ:- આચાર્ય કહે છે કે જે કુત્સિત (સિંધ) મિથ્યાત્વ ધર્મમાં રત (લીન) છે, જે પાખંડી નિંધ વેપીઓની ભક્તિ કરે છે, જે નિંધ મિથ્યાધર્મ પાળે છે, મિથ્યાષ્ટિઓની ભક્તિ કરે છે અને મિથ્યા-અજ્ઞાન તપ કરે છે, તે દુર્ગતિને જ પામે છે. તેથી મિથ્યાત્વ છોડવું એ જ ઉપદેશ છે. ૧૪૦
૧ દુર્બુદ્ધિ-દુર્મતદોષથી = દુર્બુદ્ધિને લીધે તથા કુમત-અનુરૂપ દોષોને લીધે. ૨ મિથ્યાત્વઆવૃતદગ = મિથ્યાત્વથી આચ્છાદિત દષ્ટિવાળો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com