________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૯
શશિબિંબ તારકવૃંદ સહ નિર્મળ નભે શોભે ઘણું, ત્યમ શોભતું તપવતવિમળ જિનલિંગ દર્શન નિર્મળું. ૧૪૬
અર્થ:- જેમ નિર્મળ આકાશમંડળમાં તારાઓના સમૂહ સહિત ચંદ્રમાનું બિંબ શોભા પામે છે તેવી રીતે જિનશાસનમાં દર્શનથી વિશુદ્ધ અને ભાવિત તપ અને વ્રતોથી નિર્મળ જિનલિંગ શોભા પામે છે.
ભાવાર્થ:- જિનલિંગ અર્થાત્ નિગ્રંથ મુનિવેષ જો કે વ્રત-તપ સહિત નિર્મળ છે તોપણ સમ્યગ્દર્શન-જ્ઞાન વિના શોભા પામતો નથી, તેના હોવાથી જ અત્યંત શોભાયમાન થાય છે. ૧૪૬
હવે કહે છે કે આવું જાણીને દર્શનરત્નને ધારણ કરો એવો ઉપદેશ કરે છે:
इय णाउं गुणदोसं दसणरयणं घरेह भावेण। सारं गुणरयणाणं सोवाणं पढम मोक्खस्स ।।१४७।। इति ज्ञात्वा गुणदोषं दर्शनरत्नं धरतभावेन। सारं गुणरत्नानां सोपानं प्रथमं मोक्षस्य।।१४७।। ઈમ જાણીને ગુણદોષ ધારો ભાવથી દરરત્નને, જે સાર ગુણરત્નો વિષે ને પ્રથમ શિવસોપાન છે. ૧૪૭
અર્થ:- હે મુને! તું ઇતિ અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દોષોને જાણીને સમ્યકત્વરૂપી રત્નને ભાવપૂર્વક ધારણ કર. આ ગુણરૂપી રત્નોમાં સાર છે અને મોક્ષરૂપી મંદિરનું પહેલું પગથિયું છે, અર્થાત ચઢવા માટે પહેલી સીડી છે.
ભાવાર્થ- જેટલા પણ વ્યવહાર મોક્ષમાર્ગના અંગ છે (ગૃહસ્થના દાન-પૂજાદિક અને મુનિના મહાવ્રત-શીલ-સંયમાદિક) તે બધામાં સાર સમ્યગ્દર્શન છે. આનાથી સર્વે સફળ છે. માટે મિથ્યાત્વને છોડીને સમ્યગ્દર્શન ધારણ કરો-આ મુખ્ય ઉપદેશ છે. ૧૪૭
હવે કહે છે કે સમ્યગ્દર્શન કોને થાય છે? જે જીવ પદાર્થના સ્વરૂપને જાણીને તેની ભાવના કરે તથા તેનું શ્રદ્ધાન કરીને પોતાને જીવપદાર્થ જાણી અનુભવ દ્વારા પ્રતીતિ કરે તેને સમ્યગ્દર્શન થાય છે. તેથી હવે આ જીવ પદાર્થ કેવો છે તેનું સ્વરૂપ કહે છે –
कत्ता भोइ अमुत्तो सरीरमित्तो अणाइणिहणो य। दंसणणाणुवओगो णिद्दिट्ठो जिणवरिंदेहिं।। १४८ ।। कर्ता भोक्ता अमूर्तः शरीरमात्रः अनादिनिधनः च। ફર્શનજ્ઞાનોપયો 1: નિર્વિ: જિનવરેન્દ્રઃા ૨૪૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com