________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૩
હવે આ જીવ પ અનાયતનના પ્રસંગથી મિથ્યાત્વથી સંસારમાં ભ્રમણ કરે છે એનું સ્વરૂપ કહે છે. પહેલાં મિથ્યાત્વના ભેદો કહે છે -
असियसय किरियवाई अक्किरियाणं च होइ चुलसीदी। सत्तट्ठी अण्णाणी वेणइया होंति बत्तीसा।। १३७ ।।
अशीविशतं क्रियावादिनामक्रियमाणं च भवति चतुरशीतिः। सप्तषष्टिरज्ञानिनां वैनयिकानां भवति द्वात्रिशत्।।१३७।।
શત-એંશી કિરિવાદીના, ચોરાશી તેથી વિપક્ષના", બત્રીશ સડસઠ ભેદ છે વૈયિક ને અજ્ઞાનીના. ૧૩૭
અર્થ - એકસોએંશી ક્રિયાવાદીના ભેદો છે અને ચોર્યાસી અક્રિયાવાદીઓના ભેદ છે. અજ્ઞાની સડસઠ ભેદરૂપ છે અને વિનયવાદી બત્રીસ છે.
ભાવાર્થ:- વસ્તુનું સ્વરૂપ અનંતધર્મ સ્વરૂપ સર્વજ્ઞ કહ્યું છે. તે પ્રમાણ અને નયથી સત્યાર્થ સિદ્ધ થાય છે. જેઓના મતમાં સર્વજ્ઞ નથી-તથા સર્વજ્ઞના સ્વરૂપનો યથાર્થરૂપથી નિશ્ચય કરી તેનું શ્રદ્ધાન કર્યું નથી એવા અન્યવાદીઓએ વસ્તુનો એક ધર્મ ગ્રહણ કરી તેનો પક્ષપાત
ર્યો કે અમે આ પ્રકારે માન્યું છે તે એમ જ છે, અન્ય પ્રકારે નથી. આ પ્રમાણે વિધિ-નિષેધ કરીને એક-એક ધર્મના પક્ષપાતી બની ગયા. તેમના સંક્ષેપથી ત્રણસો ત્રેસઠ ભેદ થઈ ગયા.
ક્રિયાવાદી- ફરવું, બેસવું, ઊભા રહેવું, ખાવું, પીવું, સૂવું, ઉત્પન્ન થવું, નાશ પામવો, દેખવું, જાણવું, કરવું, ભોગવવું, ભૂલવું, યાદ કરવું, પ્રીતિ કરવી, હર્ષ કરવો, વિષાદ કરવો, દ્વેષ કરવો, જીવવું, મરવું-આ બધી ક્રિયાઓ છે. જીવાદિ પદાર્થોને આ બધી ક્રિયાઓ જોઈને કોઈએ અમુક ક્રિયાનો પક્ષ ર્યો તો કોઈએ બીજી ક્રિયાનો પક્ષ ર્યો. આમ પરસ્પર ક્રિયાના વિવાદથી ભેદ થયા. સંક્ષેપથી આવી એકસોએંશી ક્રિયાઓના ભેદનું નિરૂપણ કર્યું છે, વિસ્તાર કરવાથી તે ઘણું વધી જાય તેમ છે.
અક્રિયાવાદી - કેટલાક અક્રિયાવાદી છે. તેઓ જીવાદિ પદાર્થોમાં ક્રિયાનો અભાવ માનીને અંદરોઅંદર વિવાદ કરે છે. કેટલાક કહે છે કે જીવ જાણતો નથી કોઈ કહે છે કે જીવ કંઈ કરતો નથી, કોઈ કહે છે કે ભોગવતો નથી, કોઈ કહે છે કે ઉત્પન્ન થતો નથી. કોઈ કહે છે કે નાશ પામતો નથી, કોઈ કહે છે કે ગમન કરતો નથી, કોઈ કહે છે કે ઊભો રહેતો નથી, ઇત્યાદિ ક્રિયાના અભાવના પક્ષપાતથી સર્વથા એકાંતી થાય છે. તેમના સંક્ષેપથી ચોરાસી ભેદ
૧ તેથી વિપક્ષના = અક્રિયાવાદીના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com